ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદી ઠાર, મોટી માત્રામાં હથિયારો મળ્યા
ગુરુવારની વહેલી સવારે રામપુર સેક્ટરના હાથલંગા જંગલમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જે બાદ શરૂ કરાયેલા ઓપરેશન ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળ રહ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉરી નજીક રામપુર સેક્ટરમાં ગુરૂવારના રોજ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. LoC પર રામપુર સેક્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. તેમના પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં પાંચ એકે 47, 8 પિસ્તોલ અને 70 હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, તાજેતરમાં જ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) થી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.

આતંકીઓ પાસેથી પાંચ એકે 47, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ મળી આવ્યા
ચિનાર કોર્પ્સ કમાન્ડર ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, ગુરુવારની વહેલી સવારે રામપુર સેક્ટરના હાથલંગા જંગલમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જે બાદ શરૂ કરાયેલા ઓપરેશન ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળ રહ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે, બાકીના આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. સેના દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં આતંકીઓ પાસેથી પાંચ એકે 47, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ મળી આવ્યા છે.
બુધવારના રોજ ટેલિફોન અને ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
આ અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ આતંકવાદીઓ દ્વારા આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. સાવચેતીના પગલા તરીકે સોમવારના રોજ સરહદી નગરમાં તમામ ટેલિકોમ સુવિધાઓ સ્થગિત કરવામાં આવી હતી. જો કે, બુધવારના રોજ ટેલિફોન અને ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં એક સૈનિક ઘાયલ થયો
સર્ચ ઓપરેશનનો આજે પાંચમો દિવસ છે. અધિકારીઓએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, નિયંત્રણ રેખા સાથે વાડ નજીક દુશ્મન સાથે "પ્રારંભિક સંપર્ક" માં એક સૈનિક ઘાયલ થયો હતો.
કુલગામ જિલ્લાના અહરબલના ત્રિનારી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કર્યો
બીજી તરફ સેનાએ કુલગામ જિલ્લાના અહરબલના ત્રિનારી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ હથિયારો, દારૂગોળો અને ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા હતા. આ સાથે જ આ વિસ્તારમાં આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ બીજી બાજુ શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, ગુરુવારના રોજ સક્રિય આતંકવાદી અનાયત અશરફ ડાર, જે OGW હતા અને શોપિયાના કેશવામાં ડ્રગ્સના કેસમાં પણ શામેલ હતો, તેને ગોળીબાર કરીને એક નાગરિકને ઘાયલ કર્યો હતો.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
