કૈલાશ ગેહલોતના ઘરે ITના દરોડામાં મળી કરોડોની બેનામી સંપત્તિઃ સૂત્ર
કૈલાશ ગેહલોતના ઘરે ITના દરોડામાં મળી કરોડોની બેનામી સંપત્તિ
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે દિલ્હીની કેજરીવાલ સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા, દરમિયાન કૈલાશ ગેહલોતના ઘરેથી 35 લાખ રોકડા મળી આવ્યા. સાથે જ 100થી વધુ બેનામી સંપત્તિના પેપર પણ આવકવેરા વિભાગના હાથે લાગ્યાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે મંત્રી ગેહલોતના ઘરેથી આવકવેરા વિભાગના મંત્રી ગેહલોતના ડ્રાઈવરના નામે સંપત્તિ હોવાનાં પેપર પણ મળ્યાં છે.
|
15થી 16 ઠેકાણે રેડ પડી
સૂત્રોએ જણાવ્યા મુજબ આવકવેરા વિભાગે દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતના 15થી 16 ઠેકાણે છાપા માર્યા હતા. જેમાં 2 કરોડ રૂપિયાનું સોનું ઝડપાયું છે. સૂત્રો મુજબ ગેહલોતના ઘરેથી મળેલી સંપત્તિના આંકડા વધી પણ શકે છે. જો કે આ દરોડા સંબંધે આવકવેરા વિભાગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
|
કેજરીવાલે મોદી સરકાર પર નિશાન સાધ્યું
દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતના ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા પડતાં આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. દરોડા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મોદીજી, તમે મારા પર, સત્યેન્દ્ર પર અને મનીષને ત્યાં પણ રેડ પડાવી હતી એનું શું થયું? કંઈ મળ્યું? તો આગમી રેડ પાડતા પહેલા દિલ્હીવાળાઓએ એમની પસંદ કરેલી સરકારને સતત પરેશાન કરવા બદલ માફી તો માગી લો.

અગાઉ આ નેતાઓને ત્યાં રેડ પડી ચૂકી છે
આપના પ્રવક્તાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાર્ટીના નેતાઓને ડરાવવા માટે છાપામારીનો સહારો લઈ રહી છે. આતિશીએ કહ્યું કે અગાઉ વર્ષ 2015માં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં છાપા માર્યા હતા. જ્યારે વર્ષ 2017માં નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાને ત્યાં અને મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે તથા કાર્યાલયે છાપા માર્યા હતા.












Click it and Unblock the Notifications
