અચ્છે દિન? 3 વર્ષોમાં સેના પર થયા 38 હુમલા, 156 સૈનિકો શહીદ
જમ્મુ કાશ્મીર ફરી એક વાર ઘૂસણખોરી વધી છે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં જ 127 વાર ઘૂસણખોરી થઇ છે 38 વાર સેના પર હુમલા થયા છે. વિગતવાર વાંચો
ગુરુવાર ઉત્તર કાશ્મીરના કુપવાડામાં આર્મી કેમ્પ પર હુમલો થયો. જે બાદ સરકારની પાકિસ્તાની નીતિ પર સવાલ ઊભો થયો કર્યો. ઉલ્લેખનીય છે કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કાશ્મીર મુદ્દે સખત પગલાં ઉઠાવવાની વાત કરી હતી. પણ પેલી કહેવત છે ને કે ગાજ્યાં મેધ વરસ્યા નહીં, લાગે છે કે મોદી સરકાર સાથે પણ કંઇક આવું જ થયું છે. કારણ કે ગત ત્રણ વર્ષમાં સેના પર 38 હુમલા થયા છે જેમાં 156 સૈનિકો શહીદ થયા છે. આ ઉપરાંત પથ્થરમારો અને અન્ય હુમલા અલગથી. હાલમાં જ જે હુમલો થયો તેમાં જેશ એ મોહમ્મદના આંતકીઓનો હાથ હોવાની શંકા છે. જો કે આ વાતે કોઇ પૃષ્ઠી નથી થઇ. પણ આ હુમલામાં 312 મીડિયમ રેજીમેન્ટના 25 વર્ષના કેપ્ટન આયુષ યાદવ, 155 મીડિયમ રેજીમેન્ટના સુબેદાર ભૂપ સિંહ અને 16 મદ્રાસ રેજીમેન્ટના નાયક બીવી રમન્ના શહીદ થયા છે અને પાંચ જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

રક્ષા મંત્રાલય પાસે જે આંકડા છે તે મુજબ ફેબ્રુઆરી 2017 સુધી ઘૂસણખોરીના 127 પ્રયાસો થઇ ચૂક્યા છે. તેમાંથી 88 પ્રયાસો 2016માં થયા છે. આ આંકડાં પાછલા 15 મહિનાના છે. ગત ત્રણ વર્ષોમાં સેના પર 38 હુમલા થયા છે. જેમાં 156 સૈનિકો શહીદ થયા છે. તેમાંથી મોટા ભાગના હુમલા જમ્મી કાશ્મીરમાં થયા છે. વર્ષ 2016માં ઘૂસણખોરો સામે લડતા 9 જવાન શહીદ થયા છે અને 40 સૈનકો કાઉન્ટર ઇનસર્જેસી ઓપરેશનમાં શહીદ થયા છે.
ગરમીમાં મુશ્કેલી વધશે
વધુમાં જેમ જેમ ગરમી વધશે તેમ વધુ હુમલા થવાની સંભાવના રહેલી છે. ઠંડીમાં જ્યાં હુમલા ઓછા થાય છે ત્યાં જ ગરમી થતા હુમલાની સંખ્યામાં મોટો વધારો જોવા મળે છે. વળી ગુપ્તચર સંસ્થાઓ પણ કહે છે કે પાકિસ્તાન આ વખતે મોટી સંખ્યામાં કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન યુનાઇટેડ જેહાદ દ્વારા કાશ્મીરમાં મોટા ધમાકો કરવાની તૈયારીમાં છે. યુનાઇટેડ જેહાદ દ્વારા લશ્કર એ તૈયબા અને જૈશ-એ-મહોમ્મદ એક સાથે આવી રહ્યા છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત









Click it and Unblock the Notifications
