જોધપુર: લીક ગેસ સિલિન્ડરને માચિસની તિલી જલાવી કર્યો ચેક, બ્લાસ્ટ થતા 4 લોકોના મોત, ગેહલોતે દુખ વ્યક્ત કર્યુ
દેશમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાઓ અવાર નવાર આવતી રહે છે. આવી જ ઘટના રાજસ્થાનના જોધપુરમાં બની છે. જોધપુરના માતા ના થાન વિસ્તારમાં આ ઘટના બની છે. આ વિસ્તારના એક ઘરમાં સિલિન્ડર લીકને દિવાસળી સળગાવી ચેક કરતા બ્લાસ્ટ થયો હતો. જ
દેશમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાઓ અવાર નવાર આવતી રહે છે. આવી જ ઘટના રાજસ્થાનના જોધપુરમાં બની છે. જોધપુરના માતા ના થાન વિસ્તારમાં આ ઘટના બની છે. આ વિસ્તારના એક ઘરમાં સિલિન્ડર લીકને દિવાસળી સળગાવી ચેક કરતા બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 લોકોના મોત થયાના અહેવાલ છે.
જોધપુર જિલ્લા કલેક્ટર હિમાંશ ગુપ્તાએ ચાર લોકોના જીવતા સળગાવવાની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 16 લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ અકસ્માતમાં દાઝી ગયેલા લોકોને એમજીએચમાં લાવવામાં આવ્યા હતા.
ઘણા લોકો 80 ટકાથી વધારે દાઝ્યા
મળતી માહિતિ મુજબ ઘણા લોકો 80 ટકાથી વધુ દાઝી ગયા છે. જોધપુર જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરોને સારવાર હેઠળ લોકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી. જોધપુર એલપીજી સિલિન્ડર અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
ગેરકાયદે ગેસ સિલિન્ડરનો કારોબાર થઇ રહ્યો હતો
સુત્રોના જણાવ્યા અનુસાર જોધપુરના કીર્તિ નગર સ્થિત એક ઘરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનો ધંધો ચાલતો હતો. એક સિલિન્ડરમાંથી ગેસ લીક થયો હતો. આ પર કામ કરનાર વ્યક્તિએ માચીસ લાઇટ કરીને ગેસ લીકેજ ચેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સિલિન્ડરમાં આગ લાગી હતી, જેના કારણે ત્યાં રાખેલા અન્ય સિલિન્ડરો પણ બળી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે પાંચ સિલિન્ડર ફાટ્યા હતા. ત્યાં સાંકડી ગલીની અંદર ઉભેલા ઘણા લોકો આગની લપેટમાં આવી ગયા હતા.
3-4 બ્લાસ્ટ થયા હતા
આગમાં ફસાયેલા લોકોને નયાપુરા હોસ્પિટલમાં અને પછી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માત થયો ત્યારે ગેસ એજન્સીની પીકઅપ કાર પણ ઘરની બહાર પાર્ક કરેલી હતી. તે પણ આગની ઝપેટમાં આવી હતી. આસપાસના વિસ્તારમાં ત્રણ-ચાર વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
ગેહલોતે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યુ
આગના કારણે એક રૂમમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાસ્થળે કેટલાય ગેસ સિલિન્ડર બળેલા જોવા મળ્યા હતા. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માહિતી મળતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર મેયર કુંતી દેવરા, ડીસીપી અમૃતા દુહાન, શહેરના ધારાસભ્ય મનીષા પંવાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સીએમ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.