4500 ગુજરાતીઓ ફસાયા જમ્મુ-કાશ્મીરમાં, આજે ત્રીજો દિવસ
જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીની મોત પછી જમ્મુ કાશ્મીરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતી છે. જેણે 6 વર્ષો પછી ફરી એક વાર કાશ્મીરની શાંતિને ખોરવી દીધી છે. કાશ્મીર હિંસામાં જ્યાં મૃત્યુઆંક 24 સુધી પહોંચ્યો છે ત્યાં જ આના કારણે અમરનાથ યાત્રા પર જનાર શ્રદ્ધાળુઓને પણ મોટા પ્રમાણમાં આના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
કાશ્મીરમાં હિંસાના કારણે ગત ત્રણ દિવસથી અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં અટવાઇ પડ્યા છે. જેમાં ગુજરાતમા 4500 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. જે ગત ત્રણ દિવસથી હોટલોમાં પૂરાઇ રહેવું પડી રહ્યું છે. નોંધનીય છે કે આ યાત્રામાં ગુજરાતના કેટલાક જાણીતા ધારાસભ્ય અને નેતાઓનો પણ સમાવેશ થાય છે જે અહીં ફસાયા છે.

લોકોમાં ફફડાટ
રાજ્ય દ્વારા પ્રાપ્ત થયેલા 4500 જેટલા ગુજરાતીઓ જમ્મુ કાશ્મીરના થયેલી આ હિંસક અથડામણના કારણે ત્યાં અટવાયા છે. વળી અહીં રહેલા ગુજરાતીઓ સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે અહીં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભયની લાગણી ફેલાયેલી છે.

ખાવા પીવાના ફાંફા
જે લોકો હોટલમાં ફસાયા છે તેમણે પણ અહીં દુકાનો બંધ હોવાના કારણે ખાવા પીવાની અને જીવનજરૂરી વસ્તુઓની તંગી અનુભવાઇ રહી છે. વળી જે લોકોને કેમ્પમાં રાખવામાં આવ્યા છે તેમની પણ અહીંની ઠંડીના કારણે તબિયત બગડી રહે છે.

કોઇ મદદે નથી આવ્યું
આ ગુજરાતી યાત્રીઓમાં રાજુલાના ધારાસભ્યથી લઇને અનેક વરિષ્ઠ લોકો જોડાયેલા છે પણ ત્રણ દિવસથી અમરનાથ યાત્રા રોકવામાં આવી છે અને ફસાયેલા લોકોને યોગ્ય સ્થળે લઇ જવા માટે કોઇ વ્યવસ્થા અહીંના તંત્ર દ્વારા કરવામાં નથી આવી તેવું આ શ્રદ્ઘાળુઓનું કહેવું છે.

અમરનાથ યાત્રા
તો કેટલાક યાત્રીઓએ જેમની અમરનાથ યાત્રા વચ્ચેથી અટકી પડી છે તેમણે આ યાત્રા પૂરી થશે તો જ જઇશું તેવી મક્કમતા પણ બતાવી છે. ત્યારે આવનારા દિવસોમાં હાલત સારા થાય અને તમામ લોકો હેમખેમ પરત ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા







Click it and Unblock the Notifications
