પાંચ નેતાના નિવેદનો ઉત્તરપ્રદેશમાં ભળકાવી શકે છે હિંસા
ઉત્તરપ્રદેશમાં ફરી એકવખત સાંપ્રદાયિક હિંસાનો તણાવ વધી શકે છે. દાદરીમાં અખલાકની હત્યા બાદ જે રીતે રાજકારણ ગરમાયા બાદ વિવિધ નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે તે જોતા ઉત્તરપ્રદેશમાં સાંપ્રદાયિક માહોલ બગડી શકે છે. તો સામે મુખ્યમંત્રી અખિલેશ યાદવે અખલાકના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. પરંતુ ત્યારબાદ આ વળતરને લઇને જોરદાર ભાષણબાજી શરૂ થઇ ગઇ છે.
આઝમ ખાને ભક્તોને પડકાર આપ્યો છેકે જો તમારામાં દમ હોય તો પહેલા દેશની એ તમામ ફાઇવસ્ટાર હોટેલને બાબરી મસ્જીદની જેમ તોડી નાખો કે જ્યાં ગૌ માંસ પીરસવામાં આવે છે. તો સામે ભાજપના નેતા સંગીત સોમે કહ્યું છેકે દાદરીમાં જો કોઇની ધરપકડ કરવામાં આવી તો તેઓ એક લાખ લોકોને પ્રશાસનની ઉપર ચઢાવી દેશે.

દમ હોય તો બાબરીની જેમ ગૌ માંસ પીરસવાવાળી હોટેલને તોડો
આઝમ ખાને કહ્યું છેકે જો ભક્તોમાં દમ હોય તો બાબરીની જેમ તે ફાઇવસ્ટાર હોટેલને તોડી પાડો કે જ્યાં ગૌ માંસ પીરસવામાં આવે છે.

ગૌ હત્યા કરનાર છે, અખલાકનો પરિવાર
ભાજપના નેતા સંગીત સોમે મૃતક અખલાકના પરિવારને ગૌ હત્યા કરનાર સંબોધ્યો હતો. તેમણે કહ્યું કે જો આ કેસમાં કોઇની પણ ધરપકડ કરવામાં આવી તો 1 લાખ લોકોને પ્રસાશન પર છોડી મૂકવામાં આવશે.

હિંદુ પણ ખાય છે ગૌ માંસ
લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે માંસ ખાનાર ગાય કે બકરીમાં ભેદ નથી કરતો. હિંદુઓ પણ ગૌ માંસ ખાય છે.

ગૌ માંસ ખાવાવાળા લોકોને સહન નહીં કરવામાં આવે
ભાજપ નેતા ગિરીરાજ સિંહે કહ્યું કે ગૌ માંસ ખાવા વાળા લોકોને બિલકુલ નહીં સાંખી લેવામાં આવે.

હિંદુ મરે તો 20 હજાર નહીં, મુસલમાન મરે તો 45 લાખ
ભાજપના નેતા સાક્ષી મહારાજે કહ્યું કે પ્રદેશમાં હિંદુ મરે તો સપા સરકાર 20 હજારનું વળતર પણ નથી આપતી, જ્યારે મુસલમાનના મોત પર 45 લાખનું વળતર આપવામાં આવ્યું છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
