ઉત્તર પ્રદેશમાં 2024 સુધીમાં 5 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટ થશે પૂરાઃ ગડકરી
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2024 સુધીમાં 5 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોમવારે લખનઉમાં 3300 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓ સોંપતી વખતે આ વાત કહી.
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. આ સાથે તેમણે લખનઉના લોકો માટે એન્જિનિયરિંગ કોલેજ સ્ક્વેર પર નવા ફ્લાયઓવર સહિત અનેક જાહેરાતો પણ કરી હતી. ગડકરીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ માટે યુપીમાં પહેલાથી જ મોટું રોકાણ કરવામાં આવ્યું છે.

યોગીજીએ જેમને રોકાણ માટે આમંત્રણ આપ્યું હતુ, તેમણે વચન આપ્યું હતું કે તેઓ યુપીમાં નોંધપાત્ર રોકાણ કરશે. તેમણે કહ્યું કે યુપી એક સમયે બીમાર હતું, તે હવે સીએમ યોગીના નિર્દેશનમાં વિકાસ કરી રહ્યું છે. PM મોદીએ લક્ષ્ય નક્કી કર્યું છે કે ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે આત્મનિર્ભર, સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે વિકાસ કરે.
ગડકરીએ કહ્યુ કે આ માટે આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આંતરરાષ્ટ્રીય ધોરણો પૂર્ણ કરવાની જરૂર છે. પીએમ મોદી તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા મળી છે. મને વિભાગમાં 50 લાખ કરોડ રૂપિયામાં કામ કરવાનો વિશેષાધિકાર મળ્યો, જે મને નવ વર્ષના સમયગાળા દરમિયાન જોવાની તક મળી.
ગડકરીએ કહ્યું કે શરૂઆતમાં લોકોને વિશ્વાસ ન હતો કે આ શક્ય છે. દિલ્હીથી દહેરાદૂન નવ કલાકની ડ્રાઈવ છે, પરંતુ મે આગ્રહ કર્યો કે અમે મુસાફરી બે કલાકમાં પૂર્ણ કરી શકીએ છીએ. હવે દિલ્હીથી હરિદ્વાર 1.5 કલાક, દિલ્હીથી મુંબઈ 12 કલાક, દિલ્હીથી જયપુર 2 કલાક અને દિલ્હીથી ચંદીગઢ 2.25 કલાકમાં પહોંચાય છે. ચંડીગઢથી મનાલીની મુસાફરીમાં નવ કલાકનો સમય લાગતો હતો. હવે જ્યારે અમે એક ટનલ બનાવી છે અને તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, તે માત્ર ત્રણ કલાક લેશે તેમ તેમણે એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કહ્યુ હતું.
ગડકરીએ વધમાં કહ્યું કે આ પરિવર્તન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ મદદરૂપ છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે 2024ના અંત સુધીમાં ઉત્તર પ્રદેશમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા થઈ જશે, જ્યારે કેટલાક નવા કામો પણ શરૂ કરવામાં આવશે. હું ખુશ છું કે યુપીના રસ્તાઓમાં ઘણો સુધારો થયો છે. જ્યારે પીએમ મોદીએ 2014માં દેશની કમાન સંભાળી અને 2017માં સીએમ યોગીએ ઉત્તર પ્રદેશની કમાન સંભાળી ત્યારે ચિત્ર બદલાઈ ગયુ.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રામાયણ કાળથી લખનઉ મહત્વપૂર્ણ છે. આ શહેરનું નામ ભગવાન શ્રી રામના ભાઈ લક્ષ્મણના નામ પરથી રાખવામાં આવ્યું છે. યોગીએ યુપીના વિકાસ માટે નક્કર વિઝન આપ્યું હતું. મેં તેમને કહ્યું કે હું 2004થી ઇથેનોલ વિશે વાત કરી રહ્યો છુ. યુપીના ઇથેનોલનો ઉપયોગ ભવિષ્યમાં વાહનોને પાવર કરવા માટે જ નહીં પરંતુ વિશ્વના એરોપ્લેનને પણ પાવર બનાવશે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે સીએમ યોગીની પ્રશંસા પણ કરી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
