5000 ખ્રિસ્તીઓએ ક્રિસમસ પર અપનાવ્યો હિંદુ ધર્મ
લખનઉ, 26 ડિસેમ્બર: યુપીના આગરા, અલીગઢ, કાસગંજ, બરેલી, બદાયૂં, બિજનૌર, શાહજહાંપુર, મેનપુરી અને ફીરોજાબાદમાં બુધવારે સાડા પાંચ હજારથી વધુ લોકોએ ખ્રિસ્તી ધર્મને અલવિદા કહેતાં હિંદુ ધર્મમાં પુનરાવર્તન કર્યું.
સૌથી વધુ ધર્માંતર અલીગઢમાં થયું, જ્યાં 2000 લોકો હિંદુ બન્યા, દરેક જગ્યાએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધ સાથે જોડાયેલા ધર્મ જાગરણ સમિતિના ક્રિસમસના દિવસે આ બધાનું શુદ્ધિકરણ અને વૈદિક મંત્રોથી યજ્ઞ-અનુષ્ઠાન કરાવીને હિંદુ ધર્મ ગ્રહણ કરાવ્યો. હિંદુ ધર્મ ગ્રહણ કરનાર લોકોમાં મોટાભાગના લોકોનું કહેવું હતું કે તેમને કેટલાક પ્રલોભનોમાં આવીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. શાહજહાંપુરમાં સાત મુસ્લિમોએ પણ હિંદુ ધર્મ અપનાવ્યો છે.

કેસની થશે તપાસ
બિજનૌરમાં ધર્માંતરની જાણકારી મળતાં વહિવટીતંત્રએ આખા કેસની તપાસ કરાવવાની વાત કહી છે. આગરા, કાસગંજ તથા ફિરોજાબાદના પાંચ સોથી વધુ પરિવાર (લગભગ 1600 લોકો) ખ્રિસ્તી ધર્મ છોડીને ફરીથી હિંદુ બની ગયા છે.
આગરામાં કાર્યક્રમમાં મેયર ઇન્દ્રજીત આર્ય પણ હાજર હતા. કાસગંજના સરસ્વતી વિદ્યા મંદિરમાં યોજાયેલ સમારોહમાં (350 પરિવાર લગભગ 1000 લોકો) અને ફિરોજાબાદમાં 66 પરિવારો (200 લોકો)એ ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરી હિંદુ ધર્મમાં ફરીથી આસ્થા વ્યક્ત કરી છે.
કાર્યક્રમોમાં આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ હિંદુવાદી સંગઠનોના નેતા હાજર રહે. બરેલીમાં છસ્સો લોકોએ હિંદુ ધર્મનો અંગીકાર કર્યો. આર્ય સમાજી સ્વામી યશસ્વી આર્યએ તેમના પર ગંગાજળ છોડ્યું અને જનોઇ પહેરાવી. મંત્રોના ઉચ્ચારણની સાથે યજ્ઞમાં આહુતિ આપીને તેમનું હિંદુ ધર્મમાં પુનરાગમન કર્યું હતું. બદાયૂમાં દ્રોપદી દેવી ઇન્ટર કોલેજ પરિસરમાં ધર્મ રક્ષા યજ્ઞ અને ઘર પુનરાવર્તન કાર્યક્રમ હેઠળ ધર્માંતર કરી ખ્રિસ્તી બનેલા બસ્સો વીસ પરિવારના 918 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
