દેશના 508 રેલવે સ્ટેશનના બદલાશે રૂપ, પીએમ મોદી આજે રાખશે આધારશીલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 508 રેલવે સ્ટેશનને નવા ફ્લેવરમાં તૈયાર કરવાની આધારશીલા રાખશે. ખુદ પ્રધાનમંત્રી મોદી ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. તેમણે તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ 6 ઓગસ્ટે રેલવે સેક્ટર માટે ઐતિહાસિક દિવસ છે. સવારે 11 વાગે 508 રેલવે સ્ટેશનને ફરી નવા રુપ રંગમાં વિકસિત કરવાની આધારશીલા રાખવામાં આવી છે. ઐતિહાસિક અમૃત ભારત સ્કીમ અનુસાર આ કાર્યની શરુઆત આજે થશે.
આ કાર્યમાં કુલ 25000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પગલુ રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી બદલાવ લાવશે. આ જીવનને સારુ બનાવશે. યાત્રીઓની સિવિધાને વધારશે. રેલવે સ્ટેશન સ્થાનિક સંસ્કુતિ, વિરાસત અને આર્કિટેક્ટના હોય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
જણાવી દઇએ કે, જે 508 રેલવે સ્ટેશનની કાયા પલટ કરવાની તૈયારી કરવામાં આવી રહે છે દે દેશના અલગ અલગ રેલવે સ્ટેશન છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના 55-55 રેલવે સ્ટેશન બિહારના 49 મહારાષ્ટ્રના 44, પશ્ચિમ બંગાળના 37, મધ્યપ્રદેશના 34, અશમ 32, ઓડિસાના 25, પંજાબના 22, ગુજારત અને તેલંગાણાના 21-21, ઝારખંડના 20. આધ્રપ્રદેશ અને તમિલનાડુના 181-8, હરિયાણાના 15 અને કર્ણાટકના 13 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે.
આ રેલવે સ્ટેશન પર વેટિગ રુમ, લાઉંજ, લિફ્ટ, એક્સેલેટર, શોપિગ મોલ, કૈપફેટેરિયા, પ્લે એરિયા, બેગેજ સ્કેનર, સહિત તમામ સવિધાને સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને પુરો કરવાના લક્ષ્ય બે વર્ષ રાખવામાં આવ્યુ છે. રેલવે સ્ટેશન પર કાર પાર્કિગ, બાગબાની, બેચ, વોશબેશન, સીસીટીવી, એલિવેટર, ફુટ, ઓવરબ્રિજ, જેવી સુવિધા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
