Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં 51 નાના નવા એરપોર્ટ બનાવાશે

airport
નવી દિલ્હી, 29 જૂન : સરકાર ભારતભરમાં ઓછી પડતરવાળા 51 નાના નવા વિમાન મથકો (એરપોર્ટ્સ) વિકસિત કરશે. વડાપ્રધાન મનમોહન સિંહે વર્ષ 2013-14 માટે માળખાકીય યોજનાઓના લક્ષ્યોને અંતિમ સ્વરૂપ આપવા માટે શુક્રવારે મળેલી એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. દેશમાં બીજી અને ત્રીજી શ્રેણીમાં આવતા શહેરો સુધી હવાઇ સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

સરકારી નિવેદન અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એઓઆઇ) ઉત્તરપ્રદેશમાં આગ્રા, અલ્હાબાદ, મુરાદાબાદ, સહારનપુર, મેરઠ, અલીગઢ, મુઝફ્ફરનગર, બિજનૌર અને આઝમગઢમાં ઓછી પડતરવાળા એરપોર્ટ વિકસાવશે.

આ સાથે પંજાબમાં લુધિયાણા, જાલંધર અને ફિરોઝપુરમાં, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, સિંગરૌલી, બુરહાનપુર, ખંડવા, જબલપુર, ધીધી અને શહડૌલમાં આ એરપોર્ટ વિકસિત કરાશે.

રાજસ્થાનમાં અજમેર, કોટા, ભીલવાડા અને અલવમાં તથા બિહારમાં મુઝફ્ફરપુર, થપરા, સાસારામમાં નાના એરપોર્ટ વિકસિત કરવામાં આવશે. ઝારખંડમાં ધનબાદ, બોકારો અને હઝારીબાગમાં નાના એરપોર્ટ બનાવાશે. જ્યારે ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં 20,000 કરોડ રૂપિયાના ખર્ચે બે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવવામાં આવશે.

સરકાર પીપીપીના માધ્યમથી નવી મુંબઇ, જુહૂ, મુંબઇ, ગોવા, કુન્નુર, પૂના, શ્રીપેરંબદુર, બેલ્લારી અને રાયગઢમાં એરપોર્ટ બનાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X