સાવધાન! પેરાસીટામોલ સહિત 52 દવાઓ ગુણવત્તા પરિક્ષણમાં ફેલ, જુઓ લિસ્ટમાં કઈ કઈ દવા?
દેશભરમાં તિરૂપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાને લઈને રાજકિય નેતાઓ હંગામો મચાવી રહ્યા છે. જો કે હકિકત એ છે કે તેમના તમારા આરોગ્ય સાથે કઈં કેવા દેવા નથી.
રાજનીતિ કરતા આ નેતાઓ વચ્ચે તમને જાણીને ઝટકો લાગશે કે દેશના લોકો માટે જરૂરી સૌથી વધુ જરૂરી એવી 50 જેટલી દવાઓ ગુણવત્તા પરિક્ષણમાં નિષ્ફળ થઈ છે.

હાલમાં જ પેરાસીટામોલ સહિતની 50 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ બાદ આ વાત સામે આવી છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ પેરાસિટામોલ સહિત 53 દવાઓનું ગુણવત્તા પરીક્ષણ હાથ ધર્યું હતું. જેમાં કેલ્શિયમ અને વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સથી લઈને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સુધી ઘણી દવાો સામેલ હતી.
CDSCO એ હવે નોટ કન્ફોર્મિંગ ટુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી લેબલ સાથે 50 થી વધુ દવાઓ જાહેર કરી છે. દવાઓ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. આમાં વિટામિન C અને D3 ગોળીઓ શેલ્કલ, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી સોફ્ટજેલનો સામેલ છે.
આ સિવાય એન્ટાસિડ પેન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 મિલિગ્રામ, એન્ટિ-ડાયાબિટીક દવા ગ્લિમેપીરાઇડ અને હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલમિસારટન સામેલ છે. આ દવાઓ સૌથી વધુ વેચાતી દવાઓ છે. તે સીડીએસસીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ છે.
દવા નિયમનકારે દવાઓની બે સૂચિ શેર કરી છે, જે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. એકમાં 48 દવાઓની વિગતો છે અને બીજામાં સામેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના જવાબો છે. આ કંપનીઓએ મોટાભાગે જવાબદારીનો ઇનકાર કર્યો છે, આ સમસ્યાનું કારણ નકલી દવાઓ છે.












Click it and Unblock the Notifications
