દુર્લભ અષ્ટધાતુની 3 મૂર્તિઓ ચોરી, કિંમત જાણીને હેરાન થઇ જશો
ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના હળીયાપુર ગામના એક મંદિરથી બે મહિના પહેલા ચોરી કરવામાં આવેલી દુર્લભ અષ્ટધાતુની રામ-સીતા અને લક્ષ્મણની મૂર્તિ પોલીસને આખરે મળી આવી છે.
ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના હળીયાપુર ગામના એક મંદિરથી બે મહિના પહેલા ચોરી કરવામાં આવેલી દુર્લભ અષ્ટધાતુની રામ-સીતા અને લક્ષ્મણની મૂર્તિ પોલીસને આખરે મળી આવી છે. પોલીસે આ ઘટનામાં શામિલ 6 આરોપીઓની ધરપકડ કરી. એટલું જ નહીં પરંતુ ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલી કાર, બાઈક, લોખંડનો સળિયો અને આરી પણ જપ્ત કરી. એક આરોપી ભાગી છૂટ્યો છે. પોલીસ અનુસાર ત્રણે મૂર્તિઓની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 2 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ પ્રેમીની નિર્મમ હત્યા કરી

29 ડિસેમ્બર 2018 દરમિયાન ચોરી થઇ હતી
એસપી અનુરાગ વત્સે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે હળીયાપુર ચોકી વિસ્તારના ઉસ્કામાંઉ ગામમાં પ્રાચીન રામ-જાનકી મંદિર છે. 29 ડિસેમ્બર 2018 દરમિયાન ચોરોએ મંદિરમાં સ્થાપિત દુર્લભ અષ્ટધાતુ રામ-જાનકી અને લક્ષ્મણની મૂર્તિ ચોરી કરી લીધી. એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુલાસા માટે સ્વોટ ટીમ અને સર્વેલન્સ સેલ લગાવવામાં આવ્યું હતું.

ખબરી ઘ્વારા સૂચના મળી
પોલીસ અનુસાર ખબરી ઘ્વારા મળેલી સૂચના અનુસાર ચોરી કરેલી મૂર્તિ સાથે બે ચોરો આમઘાટ પુલ તરફ જઈ રહ્યા હતા. પોલીસ સુચનાને આધારે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી. પોલીસની પકડમાં આવેલા બંને આરોપીની જયારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને પોતાનું નામ સોનુ સિંહ બસંતપુર નિવાસી અને ભાસ્કર દુબે જણાવ્યું. તલાશી દરમિયાન એક મૂર્તિ પણ મળી આવી.
|
પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી
સખત રીતે પૂછપરછ કરવા પર આરોપીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજી બે મૂર્તિઓ તેમના સાથીઓ પાસે છે, જેઓ ફેઝાબાદ રોડ પાસે આવેલા કુરેભાર મોડ પાસે ઉભા છે. પોલીસે તેમની પાસેથી મળેલી માહિતીને આધારે બીજા ચાર લોકોને પણ પકડી લીધા, જયારે એક આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો. તેમની પાસેથી દુર્લભ અષ્ટધાતુની 2 મૂર્તિઓ મળી આવી. પૂછપરછમાં તેમને પોતાની ઓળખ અવનિશ ત્રિપાઠી, સંજય યાદવ, પ્રદીપ કુમાર યાદવ અને સંતલાલ તરીકે આપી.












Click it and Unblock the Notifications
