જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં જૈશના 6 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તમામ આતંકીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે આ બે એન્કાઉન્ટર અનંતનાગ અને કુલગામમાં થયા હતા. માર્ય
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તમામ આતંકીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે આ બે એન્કાઉન્ટર અનંતનાગ અને કુલગામમાં થયા હતા. માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી બે આતંકવાદીઓ પાકિસ્તાનના છે જ્યારે બે સ્થાનિક આતંકવાદી છે. બાકીના બે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે. બુધવારે રાત્રે બંને એન્કાઉન્ટર શરૂ થયા હતા. આતંકીઓ પાસેથી એક એમ-4 અને બે એકે 47 રાઈફલ મળી આવી છે. હાલમાં સુરક્ષા જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.













Click it and Unblock the Notifications
