પજાબથી પગપાળા જઈ રહેલા મજૂરોનો અકસ્માત, 6ના મોત 4 ઘાયલ
પજાબથી પગપાળા જઈ રહેલા મજૂરોનો અકસ્માત, 6ના મોત 4 ઘાયલ
નવી દિલ્હીઃ લૉકડાઉનમાં કામકાજ બંધ થયા બાદ પોતપોતાા ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો ફરી એખવાર દુર્ઘટનાનો શિકાર થયા છે. પંજાબથી પગપાળા બિહાર જઈ રહેલા મજૂરો રોડ અકસ્માતનો શિકાર થઈ ગયા. પંજાબથી 10 મજૂરો પોતાના વતન બિહાર માટે નીકળ્યા હતા, પરતુ મુઝફ્ફરનગર- સહારનપુર સ્ટેટ હાઈવે પર બુધવારે રાતે તેજ રફ્તારે આવેલી બસનો શિકાર થઈ ગયા. આ ઘટનામા 6 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

જાણકારી મુજબ ઘટના મોડી રાતે 1 વાગ્યે ઘટી, જ્યારે પજાબથી પગપાળા ચાલી રહેલા 10 પ્રવાસી મજૂરોને તેજ રફ્તારે આવેલી બસે કચડી નાખ્યા. ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે, ઘાયલ 4 મજૂરોને મેરઠ મેડિકલ હોસ્પિટલે ઈલાજ માટે ખસેડવામા આ્યા છે.
આ બધા જ પ્રવાસી મજૂર બિહારના ગોપાલગંજ જઈ રહ્યા હતા. મુઝફ્ફરનગર- સહારનપુર સ્ટેટ હાઈવે પર ઘલૌલી ચેકપોસ્ટથી થોડે દૂર આગળ વધ્યા જ હતા કે રોહાના ટોલ પ્લાઝા પાસે તેમનો અકસ્માત થઈ ગયો. જાણખારી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. રોડવેઝ બસને ટ્રેક કરવા માટે નાકાબંધી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક માલગાડીએ 16 પ્રવાસી મજૂરોને કચડી નાખ્યા હતા. તમામ મજૂર મધ્ય પ્રદેશના રહેવાસી હતી, જેઓ પાટા પર જ ઊંઘી ગયા હતા.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
