આ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, પગારવધારાને મંજૂરી
કેન્દ્રની મોદી સરકારે દેશભરની કેન્દ્રીય કોલેજો અને યુનિવર્સિટીના શિક્ષકો, એકેડેમિક સ્ટાફ, રજિસ્ટાર, નાણાં અધિકારી, પરીક્ષા નિયંત્રકોને પગાર વધારાને ભેટ આપી છે.
કેન્દ્રની મોદી સરકારે દેશભરની કેન્દ્રીય કોલેજો અને યુનિવર્સિટીના શિક્ષકો, એકેડેમિક સ્ટાફ, રજિસ્ટાર, નાણાં અધિકારી, પરીક્ષા નિયંત્રકોને પગાર વધારાને ભેટ આપી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે કેન્દ્રીય સંસ્થાઓમાં 7માં પગારપંચની ભલામણો લાગુ કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપીને આ કર્મચારીઓના પગાર વધારાનો રસ્તો સાફ કરી દીધો છે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સાતમાં પગાર પંચની ભલામણો મુજબ વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં શિક્ષકો, સમકક્ષ શેક્ષણિક સંવર્ગ, રજિસ્ટ્રાક, નાણાં અધિકારીઓ અને પરીક્ષા નિયંત્રકોના ભથ્થાના સુધારા માટે આદેશ આપ્યા છે. માનવ સંશાધન મંત્રાલયના આદેશ બાદ હવે આ કર્મચારીઓને પણ સાતમાં પગાર પંચ હેઠળ પગાર વધારાનો લાભ મળશે અને સાતમાં પગાર પંચ મુજબ ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના 30000 અને માનદ વિશ્વવિદ્યાલયોના 5500 શિક્ષકો અને કર્મચારીઓને લાભ મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે સરકારી તેમજ સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓને સાતમાં પગારપંચ હેઠળ પગાર વધારાની ભલામણોને મંજૂરી આપી દીધી છે.












Click it and Unblock the Notifications
