કોરોનાનો કહેર યથાવત, પાછલા 24 કલાકમાં 88600 નવા કેસ સામે આવ્યા
કોરોનાનો કહેર યથાવત, પાછલા 24 કલાકમાં 88600 નવા કેસ સામે આવ્યા
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે, સામાન્યથી લઈ ખાસ વ્યક્તિ સુધી બધા જ આ મહામારીના લપેટામાં છે. રવિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ તાજા આંકડા મુજબ દેશમાં ગત રોજ કોરોના વાયરસથી સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા અને 1124 દર્દીએ આના કારણે દમ તોડ્યો, આની સાથે જ દેશમાં કુલ મામલાની સંખ્યા 5992532 થઈ ગઈ છે, જ્યારે 94503 લોકો આ ખતરનાક વાયરસના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સક્રિય મામલાની સંખ્યા 9 લાખ 56 હજાર 402 થઈ ગઈ છે.
આઈસીએમઆરે કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના 71257836 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 987861 સેમ્પલની શનિવારે તપાસ થઈ છે, કોરોના તપાસથી દર્દીનો પતો લગાવવો આસાન થઈ જાય ચે અને તેઓ જલદી જ ઠીક પણ થઈ જાય છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,67,822 મામલા સામે આવી ચૂક્યા ચે જેમાંથી 29717 એક્ટિવ કેસ છે જ્યારે 232812 સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે દિલ્હીમાં 5193 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
પીએમ મોદી આજે મન કી બાત કરશે, આ મુદ્દા પર થઈ શકે ચર્ચા