90 ટકા ભારતીય મૂર્ખ હોય છે : માર્કન્ડેય કાત્જુ
તેમને એક સેમિનારમાં કહ્યું હતું કે 'હુ કહી શકું છે નેવુ ટકા ભારતીય મૂર્ખ હોય છે. તમારા લોકોના મગજમાં ભેજુ હોતુ નથી. તમને સરળતાથી ઉશ્કેરી શકાય છે. તેમને કહ્યું હતું કે દિલ્હીમાં ફક્ત 2000 રૂપિયા માટે કોમી હુલ્લડો ભડકાવી શકાય છે. તેમને કહ્યું હતું કે તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે કોઇ પૂજા સ્થાને અસન્માન બતાવતાં કોઇ તોફાનીભર્યું કામ કરી દો અને લોકો એકબીજા સાથે ઝઘડવાનું શરૂ કરી દે છે.
માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે તમે ગાંડા જેમ અંદરો અંદર ઝઘડવા લાગશો અને તે વાતને સમજશો નહી કે આની પાછળ કેટલાક ભડાકવનાર લોકો છે. 1857 પહેલાં દેશમાં કોઇ સાંપ્રદાયિકતા ન હતી પરંતુ આકે સ્થિતી બદલાઇ ગઇ છે. આજે 80 ટકા હિન્દુ સાંપ્રદાયિક છે અને 80 ટકા મુસ્લિમ સાંપ્રદાયિક છે.
હું તમને જણાવી દઉં કે આ કડવી સચ્ચાઇ છે. આવું કેવી રીતે બન્યું 150 વર્ષોમાં તમે લોકો આગળ વધવાને બદલે પાછળ ચાલ્યાં ગયા કારણ કે અંગ્રેજ તમારી અંદર જેર રેડી રહ્યાં છે. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે 1857 બાદ લંડનથી આવનારી નીતિ આવી હતી કે આ દેશ પર નિયંત્રણ રાખવું જરૂરી છે માટે હિન્દુ અને મુસ્લિમ અંદરો અંદર ઝઘડતા રહે.
તેમને કહ્યું હતું કે દુષ્પ્રચાર ચાલી છે કે હિન્દી હિન્દુઓની ભાષા છે અને ઉર્દૂ મુસ્લિમોની. આપણા પૂર્વજોએ પણ ઉર્દૂ ભણ્યાં હતા પરંતુ તમને મૂર્ખ બનાવવા સરળ છે. તમે મૂર્ખ છો માટે તમને સરળતાથી મૂર્ખ બનાવી શકાય. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે આ કડવી વાતો કહી રહ્યો છું કે ભારતીય આ રમતને સમજે અને મૂર્ખ ન બને.