પાકમાં છૂપાયેલા છે મુંબઇ ધમાકાઓના ષડયંત્રકારી: શિંદે

sushil-shinde
રોમ, 6 નવેમ્બરઃ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું છે કે, 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ષડયંત્રકારી પાકિસ્તાનમાં છૂપાયેલા છે અને તેના પુરતા પુરાવા આપવા છતાં પણ ઇસ્લામાબાદે તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. મુંબઇ વિસ્ફોટના મુખ્ય ષડયંત્રકારી દાઉદ ઇબ્રાહીમ છે અને તે હજુ પણ ફરાર છે. તે પણ પાકિસ્તાનમાં છૂપાયેલો હોવાની વાત સામે આવતી રહી છે.

ઇન્ટરપોલ મહાસભાની બેઠકમાં શિંદેએ કહ્યું કે ભારત ઘણા મુદ્દે આતંકવાદ, ખાસ કરીને સરહદપાર આતંકવાદના મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયામાં આતંકવાદ એક પ્રભાવી રણનીતિક હથિયાર તરીકે સામે આવ્યું છે. ગૃહમંત્રીએ 1993ના વિસ્ફોટનો હવાલો આપતા કહ્યું કે પાડોશી દેશને પુરતા પુરાવા આપ્યા છે અને તેમની સાથે નિયમીત સંવાદ કર્યા પછી પણ આ જધન્ય કૃત્યના તમામ ષડયંત્રકારી સુરક્ષિત શરણમાં છે. 1993માં મુંબઇના ઘણા સ્થળો પર થયેલા વિસ્ફોટોમાં 257 લોકોના મોત નિપજ્યા હતા અને 713 લોકોને ઇજા પહોંચી હતી.

શિંદેએ પાકિસ્તાનમાં છૂપાયેલા ષડયંત્રકારીઓનો હવાલો આપતા કહ્યું છે,''પાડોશી દેશમાં આ લોકોની ઉપસ્થિતિ જગજાહેર છે અને તેમના વિરોધ ઇન્ટરપોલની નોટિસ 1993થી વિલંબિત છે. આતંકવાદીઓએ એ વસ્તુ દર્શાવી છે કે સાધારણ તરકીબ અને સામાન્ય હથિયારો થકી તે 2008ના મુંબઇ હુમલા જેવી મોટી તબાહી લાવી શકે છે.''

ગૃહમંત્રીએ કહ્યું કે આતંકવાદી હુમલામાં જાન-માલનું મોટું નુક્સાન થયું છે. આતંકવાદીઓએ ખૌફ પેદા કરીને આપણી જિંદગીને પાટા પરથી ઉતારવાના પ્રયત્નો કર્યાં છે.સૌભાગ્યવશ, ભારતીય સમાજે વારંવાર સંયમનો પરચો આપ્યો છે અને આતંકવાદી હુમલાનો સામે ઝુક્યા નહીં.

તેમણે કહ્યું કે, 1993 અને 2008માં મુંબઇ હુમલો અથવા 2001નો અમેરિકાનો હુમલો એ વાતને રેખાંકિત કરે છે કે જાસૂસી અને તપાસ એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X