Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોધપુર હિંસાની ઘટનામાં 97 લોકોની ધરપકડ, ભારે પોલિસ બળ તૈનાત

ઈદના તહેવાર પર જે રીતે રાજસ્થાનના જોધપુરમાં બે સમુદાયો વચ્ચે ટકરાવ થયો તે બાદ સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે.

જોધપુરઃ ઈદના તહેવાર પર જે રીતે રાજસ્થાનના જોધપુરમાં બે સમુદાયો વચ્ચે ટકરાવ થયો તે બાદ સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. ઘટના બાદ ભારે પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. એડીજી લૉ એંડ ઑર્ડર હવા સિંહ ઘુમરિયાએ જણાવ્યુ કે જિલ્લામાં કડક કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે, મોટી અને વરિષ્ઠ અધિકારીઓને અહીં તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં દરેક નાની ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. કુલ 97 આરોપીઓની આ મામલે ધરપકડ કરવામાં આવી ચૂક્યા છે.

jodhpur violence

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ રાજ્યપાલ કલરાજ મિશ્રાને અપીલ કરી છે કે તે આ સમગ્ર મામલે તપાસની શરુઆત કરે અને રાજ્ય સરકારને જરુરી દિશાનિર્દેશ આપે જેનાથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાને સુનિશ્ચિત કરી શકાય. હું રાજ્યપાલજીને નિવેદન કરુ છુ કે તે આ મામલે તપાસ કરે અને જરુરી નિર્દેશ આપે જેથી રાજ્યમાં ફરીથી આ પ્રકારની સાંપ્રદાયિક ઘટના ના બને. આ સાથે જ તેમણે રાજ્યપાલને અપીલ કરી છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે જોધપુરના જલોરી ગેટ સર્કલમાં ઈદના પ્રસંગે હિંસા થઈ હતી. મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતનુ આ ગૃહ ક્ષેત્ર છે. અહીં ઈદની નમાઝ દરમિયાન તણાવ વધી ગયો હતો. જો કે, પોલિસે લાઠીચાર્જ કરીને સ્થિતિને નિયંત્રિત કરી અને ભીડને વેરવિખેર કરી. વાસ્તવમાં, સોમવારે અલગ-અલગ જગ્યાએ પત્થરમારાની ઘટનાઓ સામે આવી હતી, બે સમુદાયો પરસ્પર એકબીજા ઉપર પત્થરમારો કરી રહ્યા હતા. જલોરી ગેટ પર બાલમુકુંદ બિસ્સા પર વિવાદિત ઝંડો લહેરાવાના કારણે આ તણાવ થયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X