9માં, 10માં ને 11માં ધોરણના છાત્રોને પરીક્ષા આપ્યા વિના જ આગળના ક્લાસમાં કરાશે પ્રમોટ
તમિલનાડુમાં કોરોના મહામારીના કારણે છાત્રોની ફાઈનલ પરીક્ષા માટે રાજ્ય સરકારે મોટુ એલાન કર્યુ છે.
ચેન્નઈઃ તમિલનાડુમાં કોરોના મહામારીના કારણે છાત્રોની ફાઈનલ પરીક્ષા માટે રાજ્ય સરકારે મોટુ એલાન કર્યુ છે. તમિલનાડુ મુખ્યમંત્રીએ ગુરુવારે 9માં, 10માં અને 11માં ધોરણના છાત્રોની ફાઈનલ પરીક્ષા વિશે મોટુ એલાન કર્યુ છે. તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી એડપ્પાદી કે પલાનીસ્વામીએ કહ્યુ કે 9મા, 10મા અને 11માં ધોરણના છાત્રોને પરીક્ષા વિના જ આગલા ક્લાસમાં પ્રમોટ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આવુ કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રીએ આ નિર્ણય ચિકિત્સા વિશેષજ્ઞની ભલામણના આધારે લીધો હતો જે એ મંતવ્યના હતા કે વર્તમાન સ્થિતિ ધોરણ 10માં અને પ્લસ વન પરીક્ષા આયોજિત કરવા માટે અનુકૂળ નથી. રિપોર્ટ અનુસાર છાત્રોની સ્કૂલમાં ઈન્ટરનલ અસેસમેન્ટના આધારે તપાસ કરવામાં આવશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પેન્ડીંગ પરીક્ષાઓના ગુણોને માપદંડોમાં વિભાજિત કરવામાં આવશે. જ્યારે 80 ટકા ગુણોની ગણતરી છાત્રોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરીક્ષાઓમાં કરવામાં આવશે. તેમની ઉપસ્થિતિના આધારે 20 ગુણ આપવામાં આવશે.
આ દરમિયાન દેશવ્યાપી તાળાબંધી લાગુ થયા બાદ પહેલી વાર તમિલનાડુમાં ધોરણ 10 અને 12 માટે સ્કૂલ 19 જાન્યુઆરી, 2021થી ફરીથી ખુલ્યા. ઘોષણા કરીને પલાનીસ્વામીએ કહ્યુ હતુ કે સ્કૂલોને માત્ર ધોરણ 10 અને 12 માટે ફરીથી ખોલવામાં આવશે. દરેક કલાકમાં 25 છાત્રો હશે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે પ્રતિરક્ષા સ્તરને વધારવા માટે કક્ષાઓમાં ભાગ લેતા છાત્રોને વિટામિન અને ઝિંક ટેબલેટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુરુવારે સીએમ પલાનીસ્વામીએ વિધાનસભામાં સેવા નિવૃત્તિની વયમાં વધારાનુ એલાન કર્યુ છે. તેમણે કહયુ કે સરકારી કર્મચારીઓની સેવા નિવૃત્તિની વાય 59થી વધારીને 60 કરવામાં આવશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
