ટ્રક ભરીને લાશો વચ્ચે ચાલી રહ્યા હતા એક શ્વાસ, આપવિતી સાંભળીને રૂહ કાંપી જશે
કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત બાદ હજુ પણ લોકો પોતાના સ્વજનોનો શોધી રહ્યા છે. તંત્ર પણ મૃતકોના મૃતદેહને સ્વજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી કર્યું છે ત્યારે એક રૂહ કંપાવી દેનારી ઘટના સામે આવી છે.
સામે આવેલી આ ઘટના એક એવા વ્યક્તિની છે જેને મૃત જાહેર કરીને લાશોના ઢગલામાં મુકી દેવાયો. જો કે તેના નસીબ સારા હશે કે તેના ચાલી રહેલા શ્વાસ પર કોઈની નજર ગઈ અને તેની જીંદગી બચી ગઈ.

અહેવાલો અનુસાર, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત બાદ એક ઘાયલને બેભાન અવસ્થામાં ભૂલથી મૃતદેહ સાથે ટ્રકમાં મુકી દેવાયો હતો. બિસ્વજીત મલિક નામના આ વ્યક્તિ સમયસર ભાનમાં આવી જતા રેસ્ક્યુ ટીમને સંકેત આપવામાં સફળ રહ્યો અને હવે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
24 વર્ષીય બિશ્વજીત ગંભીર રીતે ઘાયલ છે અને બોગીમાંથી કોઈપણ રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.બોગીમાંથી બહાર નીકળ્યા પછી રેલવે ટ્રેક પર ક્રોસ કરતી વખતે તે બેભાન થઈ ગયો હતો.
આ દરમિયાન બિસ્વજીતને મૃત માની રેસ્ક્યુ કરનારાઓએ તેને અન્ય મૃતદેહો સાથે ટ્રકમાં ચડાવી દીધો. ટ્રકમાં બિસ્વજીતને અચાનક હોશ આવતા તેને રેસ્ક્યુ ટીમને સંકેત આપ્યા અને જીવ બચી ગયો. બિસ્વજીતના પિતાએ આ માહિતી આપી હતી.
બિસ્વજીતના પિતા હેલારામ મલિક અનુસાર, બિસ્વજીતે જાતે જ ટ્રેનમાંથી ઉતર્યા પછી અમને કોઈક રીતે બોલાવ્યા. તેના હાથથી લોહી વહેતું જોઈને તે બેહોશ થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે પોતાને 8-10 મૃતદેહોના ઢગલા વચ્ચે જોયો.
તેમના કહેવા પ્રમાણે, વિશ્વજીતના જમણા હાથ પર ઈજા થઈ હતી પરંતુ તેનો ડાબો હાથ ઠીક હતો. તેથી તેણે હાથ હલાવવાનું શરૂ કર્યું. બચાવકર્મીઓનું ધ્યાન દોર્યા બાદ તેને મૃતદેહોના ઢગલાથી અલગ કરીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.
ઘાયલ પુત્રને ગોપાલપુરથી કારમાં કોલકાતા લઈ ગયેલા તેના પિતાએ જણાવ્યુ કે, બિસ્વજીતને મૃતદેહોના ઢગલાથી અલગ કરીને તેને શબઘરની જગ્યાએ ગોપાલપુર હોસ્પિટલ ખસેડાયો.
અહીં તમને જણાવી દઈએ કે, શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે અને 1,170 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. હાલ પણ 300 લોકો સારવાર લઈ રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
