મુંબઈ એરપોર્ટ પર વિમાનના એન્જીનને ટ્રકે ટક્કર મારી, જાણો હાલ શું છે હાલત?
મુંબઈ : મુંબઈ એરપોર્ટથી એક ખૌફનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એરપોર્ટ પર ટ્રકે વિમાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જો કે સારા સમાચાર એ છે કે યાત્રીઓ સલામત છે અને મોટી જાનહાનિ ટળી છે.

અહેવાલો અનુસાર, આ અકસ્માત સર્જાયો તે વિસ્તારાની ફ્લાઈટ હતી અને એમાં 140 લોકો સવાર હતા. આ અકસ્માત વિમાનના પુશ બેક દરમિયાન સર્જાયો હતો. આ સમયે વિમાનના એન્જીનને ટ્રકે ટક્કર મારી દીધી હતી.
સમાચારો અનુસાર, આ વિમાન મુંબઈથી કોલકત્તા માટે રવાના થવાનું હતુ અને તેમાં 140 લોકો સવાર હતા. જો કે ઘટના બાદ સમયસુચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને પ્લેનમાં સવાલ તમામ લોકોને સુરક્ષિત ઉતારી દેવાયા છે.












Click it and Unblock the Notifications
