Aadhaar દુનિયાનું સૌથી ભરોસાપાત્ર ડિજિટલ આઇડી, સરકારે કર્યો પલટવાર
Moody's report : રેટિંગ એજન્સી મુડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે આધાર કાર્ડને લઇને એક રિપોર્ટ જાહેર કરી છે. જેમાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા સોમવારના રોજ આ રિપોર્ટ અંગે જવાબ આપ્યો છે. આ સાથે Aadhaar ને દુનિયાનું સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર ડિજિટલ આઇટી ગણાવ્યું છે.
એક નિવેદન જાહેર કરીને, મંત્રાલયે જણાવ્યું હતું કે, રેટિંગ એજન્સી મૂડીઝે વિશ્વના સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી, આધાર વિરુદ્ધ કોઈ પુરાવા વિના મોટા દાવા કર્યા છે.

છેલ્લા દાયકામાં એક અબજથી વધુ ભારતીયોએ Aadhaar પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિવાય ભારતીયોએ 100 અબજથી વધુ વખત આધારની મદદથી પોતાનું વેરિફિકેશન કર્યું હતું.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, રિપોર્ટમાં કોઈ ડેટા કે સંશોધનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વધુમાં રેટિંગ એજન્સીએ ઉઠાવેલા મુદ્દાઓ અંગેની હકીકતો જાણવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. એજન્સી દ્વારા આપવામાં આવેલા કુલ Aadhaar નંબરની સંખ્યા પણ ખોટી છે.
જ્યારે મૂડીઝે તેના અહેવાલમાં ભારતના ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે આધાર બાયોમેટ્રિક્સ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આના પર સરકારે જણાવ્યું હતું કે, Aadhaar ની ચકાસણી ફેસ ઓથેન્ટિકેશન અને આઈરિસ ઓથેન્ટિકેશન જેવા કોન્ટેક્ટલેસ માધ્યમથી પણ થાય છે. આ સિવાય ઘણા મામલાઓમાં OTP દ્વારા પણ આધાર વેરિફિકેશન થઈ રહ્યું છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીયકૃત Aadhaar સિસ્ટમમાં સુરક્ષા અને પ્રાઇવસીની નબળાઈઓ છે. તેના પર સરકારે જણાવ્યું કે, આ પ્રશ્નનો જવાબ સંસદમાં પણ ઘણી વખત આપવામાં આવ્યો છે. Aadhaar દ્વારા આજ સુધી કોઈ ડેટાબેઝ ભંગની જાણ કરવામાં આવી નથી.
સૌથી મહત્વની વાત એ છે કે, IMF અને વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતની આધાર કાર્ડ સિસ્ટમની પ્રશંસા કરી છે.
ઘણા દેશો હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારતે આટલી હાઇ-ટેક ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમ કેવી રીતે વિકસિત કરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
