જલંધર લોકસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી એક્શનમાં, ઉમેદવારોનો ટેલિફોનિક સર્વે શરૂ કર્યો
પંજાબ ફતેહ કર્યા બાદ આમ આદમી પાર્ટી હવે જલંધર લોકસભા બેઠક ફતેહ કરવા માટે એક્શનમાં આવી છે. રાજકીય નિષ્ણાતો અનુસાર,સંગરુર બાદ જલંધર લોકસભા પેટાચૂંટણી AAP માટે બીજી કસોટી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જલંધરમાં કોંગ્રેસના ગઢને તોડી શકી નથી. કોંગ્રેસે જલંધર લોકસભા મતવિસ્તારમાં આવતી નવ વિધાનસભા બેઠકોમાંથી 5 પોતાના નામે કરી હતી.

જણાવી દઈએ કે, સંતોખ સિંહ ચૌધરીના અવસાન બાદ જલંધર બેઠક ખાલી પડી છે. જેના પર હવે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી માટે આ કઠિન કસોટી માનવામાં આવી રહી છે. પાર્ટી ઉમેદવાર નક્કી કરતા પહેલા તાકાત પરખવામાં ટેલીકોલિંગ દ્વારા લોકોને સંભવિત ઉમેદવારો વિશે પૂછી રીહી છે. આ સર્વે છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહ્યો છે અને આગામી 48 કલાક સુધી ચાલશે. સર્વેમાં બસપા નેતા બલવિંદર કુમાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુ ઉપરાંત ધારાસભ્ય શીતલ અંગુરાલના ભાઈ રાજન વિશે માહિતી માંગવામાં આવી રહી છે.
હવે આમ આદમી પાર્ટીએ જલંધર સીટ જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. આ જ કારણ છે કે સીએમ માન એક અઠવાડિયામાં ત્રણ વખત જલંધર ગયા છે. હિંદુ મતો માટે તેઓ ઉત્તર ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ દેવી તાલાબ મંદિરમાં ગયા હતા તો રવિદાસિયા મત માટે અરવિંદ કેજરીવાલ ડેરા બલ્લાંના દર્શને પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
