'AAP' સામે ઝૂક્યા શીલા દીક્ષિત, પત્રો સ્વીકારવા રાજી

મુરલીધરને જણાવ્યું કે મુખ્યમંત્રીની આ સહમતિ બાદ વિરોધ માર્ચ રદ કરી દેવામાં આવી છે. એએપી આ પત્રો મુખ્યમંત્રીને સુપરત કરવા માટે તેમના કેટલાક પ્રતિનિધિઓને તેમના રહેઠાણ સ્થળે મોકલશે.
એએપી પ્રવક્તાના અનુસાર 'અમે વિરોધ માર્ચ નહીં નીકાળીએ, પરંતુ એએપી સમન્વયક અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના કેટલાંક અન્ય સભ્યો વીજળી તથા પાણીના વધેલા બીલથી સંબંધિત પત્રો લઇને મુખ્યમંત્રીના રહેઠાણ સ્થળે પહોંચશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકાર સામે બંડ પોકાર્યો છે, અને તેઓ અનશન અને આંદોલન થકી જનતાને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનું નસીબ પણ આજમાવવાની કવાયત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
