આરૂષિ હત્યાઃ 'તલવાર પરિવારની વર્તણૂક હતી શંકાસ્પદ'

ગઇ કાલે સ્પેશિયલ સીબીઆઇ જજ એસ લાલ સમક્ષ પોતાનું નિવેદન રજૂ કરતા તેમણે કહ્યું કે, રાજેશ તલવારે મને કહ્યું હતું કે તેઓ બનાવની આગલી રાત્રે આરૂષિના રૂમને બહારથી બંધ કરી દીધો હતો અને પોતાના રૂમમાં આવીની સુઇ ગયા હતા. મે આ નિવેદન અંગે સીબીઆઇને જણાવ્યું હતું પરંતુ શા માટે તે નોંધવામાં આવ્યું નહીં તેને લઇને હું સ્પષ્ટ નથી.
રાજેશ તલવારે મને વધુંમાં કહ્યું હતું કે તેઓ રાત્રે પોતાનો રૂમ બંધ કરવાનું ભૂલી ગયા હતા તેથી બની શકે કે રાત્રે કોઇએ મારા રૂમમાંથી એ ચાવીની ચોરી કરી લીધી હોય.
તેમણે ક્રાઇમ સીન અંગે સમજાવતા કહ્યું કે તેમણે ટેરેસ લોક પર લોહીના છાંટા જોયા હતા, પરંતુ તેમણે ફોરેન્સિક એક્સપર્ટને તે અંગે કહ્યું નહીં કારણ કે તે અન્ય રૂમમાં તપાસ કરવામાં વ્યસ્ત હતા. તેણે વધુમાં કહ્યું કે, મે જ્યારે 16 મેના રોજ બનાવના દિવસે અને હેમરાજનો મૃતદેહ મળ્યો તેના એક દિવસ પહેલા ટેરેસનું તાળું તોડવા માટે કહ્યું ત્યારે આસપાસ કોઇ કારપેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી નહોતી તેથી ટેરેસનો દરવાજો ખોલી શકાયો નહોતો.
નોએડાના પૂર્વ એસપીએ કોર્ટને કહ્યું કે, જ્યારે અમે બીજા દિવસે એટલે કે 17 મેના રોજ તલવારના ઘરે પહોંચ્યા ત્યારે ટેરેસનો દરવાજો ખુલ્લો હતો અને અમને છત પર હેમરાજનો મૃતદેહ મળ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે હેમરાજના મૃતદેહને ઓળખવામાં રાજેશ આનાકાની કરી રહ્યાં હતા, પરંતુ મને એ વાતની સમજાતી કે એજન્સી દ્વારા શા માટે આ નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું નહોતું.
અત્રે નોંધનીય છે કે, 16 મે 2008ના રોજ આરૂષિ તલવાર તેના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. તેની હત્યા કરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે તલવાર પરિવારના નોકરનો મૃતદેહ પણ ઘરના છત પરથી મળી આવી હતી.












Click it and Unblock the Notifications
