અબુ સાલેમ પર મુંબઇ પાસેની તલોજા જેલમાં ગોળીબાર થયો

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે 27 જૂન, 2013ના રોજ રાત્રે 8.30 કલાકે અબુ સાલેમ પર જેલના જ એક અન્ય કેદી દેવેન્દ્ર બાબુરાવ જગતાપ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. જગતાપ એડવોકેટ સઇદ આઝમી હત્યા કેસમાં દોષિત છે. પોલીસ જગતાપ પાસે હથિયાર કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ અબુ સાલેમ પર જેલમાં હુમલો થયો હતો. તે સમયે તેઓ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતા. આ હુમલા બાદ જ તેમને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2005માં તેમને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કથિત ભૂમિકા બદલ પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.
અબુ સાલેમ પરના આરોપમાં કહેવામાં આવ્યું હતું કે અબુ સાલેમે દાઉદ ઇબ્રાહિમે રચેલા એક કાવતરા અંતર્ગત બોમ્બ વિસ્ફોટોમાં પોતાના સહયોગીઓને હથિયાર અને વિસ્ફોટકોને જથ્થો પૂરો પાડ્યો હતો.












Click it and Unblock the Notifications
