અબુ સાલેમને કરાશે પોર્ટુગલ દૂતાવાસમાં શિફ્ટ!

સાલેમના વકીલ રાશિદ અંસારીએ જણાવ્યા પ્રમાણે સાલેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાર્થીના પોર્ટુગલ લૌટનના મુદ્દે અંતિમ નિર્ણય થાય ત્યાં સુધી પોર્ટુગલ દૂતાવાસમાં તેને મોકલવામાં આવે. પોતાની અરજીમાં સાલેમે કહ્યું કે, તે ક્યારેક અન્ય જેલોમાં અસુરક્ષિત હોવાનું અનુભવે છે તેથી ન્યાયના હિતમાં એ રહેશે કે તેને કોઇ જેલમાં સ્થળાંતરિત કરવામાં ના આવે કારણ કે અન્ય જેલોમાં તેને જીવનું જોખમ છે.
સાલેમે કહ્યું કે, તલોજા જેલના અધિકારીઓ પાસે તેને થાણેની જેલમાં મોકલવાના આદેશ છે, સાલેમ અનુસાર તેણે અનેક વાર એ ભલામણ કરી છે કે, તેના જીવને મુસ્તફા ડોસા, અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન તથા અન્યોથી ખતરો છે. સાલેમની આ અરજી પર આ અઠવાડિયાના અંતમાં સુનાવણી કરવામાં આવશે.
1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટના મામલે અભિયુક્ત સાલેમને લાંબી કાયદાકીય લડાઇ બાદ 11 નવેમ્બર 2005ના પોર્ટુગિઝથી ભારત લાવવામાં આવ્યો હતો. સાલેમ પર 27 જૂનના રોજ જેલમાં હુમલો થયો હતો. તેના પર દેવેન્દ્ર જગતાપ ઉર્ફે જેડીએ હુમલો કર્યો હતો. જેડી વકીલ શહિદ આઝમીની હત્યાના મામલાનો આરોપી છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026







Click it and Unblock the Notifications
