Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોરખપુર યુનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓની ગુંડાગર્દી, વાઇસ ચાન્સેલરને માર માર્યો

દિવસે દિવસે બીજેપી દેશમાં આતંકનો પર્યાય બની રહી છે. આ વાતનો વધુ એક પુરાવો ગોરખપુરથી સામે આવ્યો છે. અહીં બીજેપીની યુવા વિંગ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે મારામારી કરી છે.

અહેવાલો અનુસાર, ગોરખપુરની દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટીમાં ધરણા કરી રહ્યા હતા. આ દરમિયાન તે વાઇસ ચાન્સેલરને મળવા માટે પહોંચ્યા હતા. અહીં પોલીસ વાઇસ ચાન્સેલરને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે દરમિયાન એબીવીપીના કાર્યકરોએ હુમલો કરી દીધો અને વાઇસ ચાન્સેલરને પકડીને માર માર્યો.

gorakhpur

એબીવીપીના આ કાર્યકરો ઘણા દિવસથી ધરણા કરી રહ્યા હતા. તે વાઇસ ચાન્સેલર સાથે બેઠકની માંગણી કરી રહ્યા હતા. આ દરમિયાન વાઈસ ચાન્સેલર મળવા ન આવતાં કાર્યકરો વાઇસ ચાન્સેલરની કેબિનમાં પહોંચ્યા હતા.

ઘટના સમયે પોલીસ વાઈસ ચાન્સેલરને સુરક્ષા સાથે બહાર લઈ જઈ રહી હતી ત્યારે કાર્યકરોએ હુમલો કરી દીધો. વાઇસ ચાન્સેલરને માર મારવા સાથે કાર્યકરોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓ સાથે પણ મારામારી કરી છે.

અહેવાલો અનુસાર, એબીવીપીના કાર્યકર્તાઓએ વાઈસ ચાન્સેલરને ખરાબ રીતે માર માર્યો છે અને કેબિનમાં તોડફોડ કરીને દરવાજો ઉખેડી નાખ્યો છે. પોલીસે હાલ કેટલાક એબીવીપીના કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે અને આ મામલે તપાસ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X