અકસ્માતમાં યુવકનું હૃદય બહાર આવી ગયું, પણ પછી જે થયું તે જાણો અહીં
એક ઉક્તિ છે કે રામ રાખે તેનો કોઈ વાળ વાંકો ન કરી શકે આવી જ ઘટના છોટા ઉદેપુરમાં બુધવારે બની. જેમા એક યુવક ગંભીર પરિસ્થિતિમાં પણ મોતને માત આપી નવજીવન પામ્યો. કહેવાય છે ને કે નસીબ જોર કરતા હોય તો મોતને પણ માત આપી શકાય છે. બસ આવું જ કંઇક છોટાઉદેપુરના સુનિલભાઇ બારીયા સાથે થયું. જિંદગીને પામ્યો.
છોટાઉદેપુરમાં બુધવારે સાંજે ૭-૩૦ છુછાપુરા બસસ્ટેન્ડ વિસ્તારમાં પાસે એક અજાણ્યા વાહને છુછાપુરાના જ પચીસ વર્ષીય યુવાન સુનિલભાઇ સોમાભાઇ બારીયાની બાઈકને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં સુનિલભાઇની છાતીની થોડી પાંસળીઓ તૂટી હતી અને હૃદય બહાર આવી ગયું હતું.
108ની ટીમે અમદાવાદના ઓફિસરો સાથે સંકલનમાં રહી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપી હતી અને વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલમાં પહોંચાડી દીધો હતો. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો ત્યારે ડોક્ટર્સની મોટી ટીમે આ યુવકની જિંદગી બચાવી લીધી હતી. અને આમ મોતની થાપ આપી આ યુવક પોતાની આ કહાની કહેવા માટે જીવીત બચી ગયો હતો.