For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસિડ હુમલોઃ શિવરાજ સિંહ આકરાપાણીએ, લગાવી કલમ 307

|
Google Oneindia Gujarati News

shivrajchauhan
ભોપાલ, 21 જુલાઇઃ દેશમાં એસિડ હુમલાની વધી રહેલી ઘટનાઓને જોઇને સૂપ્રી કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટમાં એસિડ હુમલા પર કડકમાં કડક કાયદાની માંગ કરી છે. એસિડ હુમલાની દિશામાં મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. શિવરાજ સિંહ ચૌહાણે એસિડ હુમલાના આરોપી પર હત્યાના પ્રયાસનો કેસ ચલાવવાના આદેશ આપ્યા છે.

મધ્યપ્રદેશ સરકારે નક્કી કર્યું છે કે, પ્રદેશમાં એસિડ હુમલાઓના મામલાના આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ બદલ કલમ 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એસિડ હુમલાને લઇને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરતા આ દિશામાં પહેલું પગલું ઉઠાવ્યું છે, જે હેઠળ આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવશે.

તેમણે આશા વ્યક્ત કરી છે કે એસિડ હુમલાના દિશા-નિર્દેશ રાજ્ય સરકારને સંભવતઃ સોમવાર 22 જુલાઇ સુધી મળી જશે. ચૌહાણે કહ્યું કે પોલીસ મહાનિદેશક અને મુખ્ય સચિવ દ્વારા એસિડ હુમલાના આરોપીઓ વિરુદ્ધ ધારા 307 હેઠળ પ્રકરણ કાયમ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે.

English summary
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan said that his government will take stern action against the culprits in acid attack cases by charging them of attempt to murder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X