મંત્રી પર બળાત્કારનો આરોપ, મોદીને મળવા માંગે છે પીડિતા
જયપુર, 18 જૂન: રાજસ્થાનથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિહાલચંદ મેઘવાલ પર શારીરિક શોષણનો આરોપ લગાવનાર પીડિત યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમને મંત્રી પદથી હટાવવાની માંગ કરી છે. પીડિતાએ પોતાની પીડા કહેવા માટે વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની પણ માંગ કરી છે.
પીડિતાએ નિહાલચંદ મેઘવાલ પર દુષ્કર્મના આરોપ ફરીથી વાગોળ્યા છે. પીડિતાએ આરોપ લગાવ્યો કે કેટલાંક લોકો મામલાની ગંભીરતાને ઓછી કરવા માટે ગફલત ઊભી કરી રહ્યા છે. પીડિતાએ મંગળવારે શ્રીગંગાનગરમાં પત્રકારોને જણાવ્યું કે એક ટીવી ચેનલે ઇન્ટર્વ્યૂમાં જે મહિલાના હવાલાથી મેઘવાલને નહી જાણવાનું બતાવ્યું છે જે સાચુ નથી. તેણે વીડિયોને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલામાં દખલ આપતા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં પંચે મેઘવાલને મંત્રિમંડળથી હટાવવાની માંગ કરી છે. મહિલા પંચે જણાવ્યું છે કે દુષ્કર્મના આરોપીને મંત્રી પદ પર રાખવા જોઇએ નહીં. પીડિતાએ પણ નિહાલચંદને મંત્રી પદથી હટાવવાની માંગ કરી છે.