For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ નૉન કોવિડ-19 ક્ષેત્રોમાં 20 એપ્રિલ બાદ આ સવાઓ પણ શરૂ થઈ શકે

લૉકડાઉનઃ નૉન કોવિડ-19 ક્ષેત્રોમાં 20 એપ્રિલ બાદ આ સવાઓ પણ શરૂ થઈ શકે

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન દરમિયાન 20 એપ્રિલ બાદ નોન કોવિડ-19 વિસ્તારોમાં જે સેવાઓ શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે તે સૂચીમાં કેન્દ્ર સરકારે નવી સેવાઓને જોડી છે. નારિયળ, મસાલા, વાંસ અને કોકોના બગીચા તથા અનુસૂચિત જનજાતીઓ દ્વારા ઉત્પાદિત વનઉપજને પણ સૂચીમાં સામેલ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી એક અધિસૂચના મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં જળઆપૂર્તિ અને સ્વચ્છતા તથા વિજળી લાઈનો દૂરસંચાર ઓપ્ટિકલ ફાઈબર અને કેબલ પાથરવાના કામને મંજૂરી હશે.

Coronavirus

ઉલ્લેખનીય છે કે કાલે રાત્રે સરકારે કહ્યું હતું કે મોબાઈલ ફોન, ટીવી, રેફ્રિજરેટર, લેપટોપ, કપડા અને સ્કૂલના બાળકો માટે સ્ટેશનરી આઈટમ તથા કરિયાણાના સામાન અને દવા જેવી જરૂરી વસ્તુઓને એમેજોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવા ઈકોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. જો કે ઈકોમર્સ કંપનીઓી ડિલીવરી વેનને રસ્તાઓ પર સંચાલન માટે અધિકારીઓથી મંજૂરીની જરૂરત હોય છે.

કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી લૉકડાઉન ત્રણ મે સુધી વધારી દેવાનું એલાન કરાયું હતું, જે બાદ સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક ગતિવિધિઓની બહાલી સંબંધિત ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. 20 એપ્રિલ સુધી લૉડાઉન સખ્તાઈથી પાલન કરાવાયા બાદ 21 એપ્રિલથી આ સેવાઓ એવા ક્ષેત્રોમાં શરૂ કરવાાં આવશે જે નૉન કોવિડ-19 ક્ષેત્રોમાં છે એટલે કે કોરોના વાયરસનું હૉટસ્પૉટ નથી. ગૃહ મંત્રાલયે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને વર્કપ્લેસ પર સેવાઓના સંચાલન દરમિયાન અન્ય સાવધાની વરતવાની સલાહ આપી છે.

કર્ણાટકઃ કોરોનાના ખતરા વચ્ચે કુમારસ્વામીના પરિવારમાં ભવ્ય લગ્ન, નિયમોની ધજ્જિયાં ઉડાવીકર્ણાટકઃ કોરોનાના ખતરા વચ્ચે કુમારસ્વામીના પરિવારમાં ભવ્ય લગ્ન, નિયમોની ધજ્જિયાં ઉડાવી

English summary
adds on activities allowed after april 20 in non covid-19 area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X