For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-એનસીપીના નેતાઓની ચપ્પલથી કરો ધોલાઇ: આદિત્ય ઠાકરે

|
Google Oneindia Gujarati News

Aditya Thakarey
મુંબઇ, 18 ઓક્ટોબર: બાલ ઠાકરેના પૌત્ર અને ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને ઔરંગાબાદને સંભાજીનગર ના કહેવા પર ચપ્પલથી ધોલાઇ કરવાનું આહ્વાન કર્યું છે.

એક સભાને સંબોધન કરતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે આપ તેને ઔરંગાબાદ કેવી રીતે કહી શકો, જેનું નામ મુગલ શાસક ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું છે જેણે દેશમાં હિન્દુઓના હજારો મંદિરોને તોડી પાડ્યા હતા. આદિત્યએ લોકોને આહ્વાન કરતા જણાવ્યું કે અમે આને ઔરંગઝેબ સામે જંગ છેડનાર સંભાજીના નામથી સંભાજીનગર તરીકે ઓળખીશું.

જો કોઇ કોંગ્રેસ અને એનસીપીનો નેતા તેને ઔરંગાબાદ કહે તો તેમની ચપ્પલથી ધોલાઇ કરી નાખો. ચાર હજારથી પણ વધારે યુવા કાર્યકર્તાઓએ આ સમારંભમાં ભાગ લીધો હતો. હાલની રેલીયોમાં આદિત્ય ઠાકરેના ભાષણમાં ખુબ જ કડવાશ આવી રહી છે. લોકો તેમની સરખામણી દાદા બાલ ઠાકરે અને કાકા રાજ ઠાકરે સાથે કરવા લાગ્યા છે.

આદિત્ય ઠાકરેએ ઘણી વખત પોતાના ભાષણોથી બાલ ઠાકરેની યાદ અપાવી દીધી છે. આદિત્યએ દાવો કર્યો કે 2014માં પાર્ટીનો સ્થાપના દિવસ મંત્રાલયથી બહાર મનાવવામાં આવશે અને સરકાર શિવસેનાની હશે.

English summary
aditya thackeray asks hit congress and ncp leaders with chappals for not calling aurungabad as sambhajinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X