Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટાટા એરબસ પ્રોજેક્ટ ગુજરાત જવાથી આદિત્ય ઠાકરેએ સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યુ - ઈન્ડસ્ટ્રીને તમારા પર ભરોસો નથી

ટાટા એરબસ પરિયોજના ગુજરાતમાં જવાથી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

મુંબઈઃ ટાટા એરબસ પરિયોજના ગુજરાતમાં જવાથી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે શુક્રવારે કહ્યુ કે ઈન્ડસ્ટ્રીને આ ખોખલી સરકારમાં કોઈ વિશ્વાસ નથી. તેમણે પૂછ્યુ કે આખરે પરિયોજનાઓ મહારાષ્ટ્રમાંથી બહાર કેમ જઈ રહી છે? તેમણે શિંદે સરકાર પર રાજ્યની પ્રગતિ પ્રત્યે ગંભીર ન હોવાનો આરોપ લગાવ્યો અને રાજ્યના હિતોની રક્ષા કરવામાં નિષ્ફળ થવા માટે ટીકા કરી.

Aditya thackeray

તમને જણાવી દઈએ કે સંરક્ષણ અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી કે ભારતીય વાયુસેના માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હવે ગુજરાતના વડોદરામાં ટાટા એરબેઝ દ્વારા બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગમંત્રી અને મુખ્યમંત્રી શિંદેના વફાદાર ઉદય સામંતે આ વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યુ હતુ કે ટાટા એરબસ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં નાગપુર નજીક આવશે. ટાટા એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા પછી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યુ, 'જુલાઈથી હું સતત માંગ કરી રહ્યો છુ કે 'ટાટા એરબસ પ્રોજેક્ટ' મહારાષ્ટ્રની બહાર ન જાય. પણ ફરી એક વાર એવુ જ થયુ. શા માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી બહાર નીકળી રહ્યા છે?'

આદિત્ય ઠાકરેએ ડબલ એન્જિન સરકારને આડે હાથ લેતા કહ્યુ કે કેન્દ્ર સરકાર ભલે સારુ કામ કરી રહી હોય પરંતુ રાજ્ય સરકારનુ એન્જિન ફેલ થઈ ગયુ છે. રાજ્ય સરકાર ખરાબ રીતે ફેલ થઈ ગઈ છે. જોઈ શકાય છે કે ઈન્ડસ્ટ્રીને ખોખલી સરકાર પર વિશ્વાસ નથી. હવે 4 પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી નીકળી ગયા પછી પણ શું ઉદ્યોગ મંત્રી રાજીનામુ આપશે? આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો કે, 'CM શિંદે નિયમિતપણે દિલ્લી જાય છે પરંતુ તેઓ ત્યાં મહારાષ્ટ્ર માટે નહીં પણ પોતાના માટે જાય છે. મે તેમને ક્યારેય એવુ કહેતા સાંભળ્યા નથી કે ટાટાએરબસ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવવો જોઈએ. વેદાંત ફૉક્સકૉન, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક હવે ટાટા એરબસ ગઈ છે. ઉદ્યાનો, મેડિકલ ડિવાઇસ પાર્ક પ્રોજેક્ટ સહિત હવે ટાટા એરબસ ગુજરાતમાં જતા રહ્યા છે.

આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યુ હતુ કે તેઓ નાખુશ નથી કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર જઈ રહ્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યુ, 'સવાલ એ છે કે સરકાર આને રાજ્યમાં લાવવા માટે કેમ કંઈ કરી રહી નથી? અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ રોકાણકારો સાથે બેઠકો અને સમિટ કરવા માટે મહારાષ્ટ્ર આવી રહ્યા છે પરંતુ જ્યારે આપણા મુખ્યમંત્રી ગયા ત્યારે તેઓ પોતે જ ચાલ્યા ગયા. મહારાષ્ટ્રમાં નાના-મોટા પ્રોજેક્ટ મેરિટના કારણે આવતા હતા પરંતુ આજે આ પ્રોજેક્ટ મેરિટ હોવા છતાં અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. વર્તમાન રાજ્ય સરકારના કારણે મહારાષ્ટ્રે વધુ એક પ્રોજેક્ટ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાંથી ફૉક્સકૉન વેદાંતા પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ પાછા ખેંચાયા બાદ ઠાકરે જૂથની શિવસેનાએ શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X