ભાજપમાં અટલ-અડવાણી જોશી યુગનો અંત, સંસદીય બોર્ડમાંથી આઉટ
નવી દિલ્હી, 26 ઓગષ્ટ: વડિલ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સાઇડલાઇન કરવા માટે ભાજપે એક નવું અજીબો ગરીબ મંડળ બનાવી દિધું છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રાખવામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ જ નરેન્દ્ર મોદીએ એ સંકેત આપી દિધા હતા કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને છૂટા કરી દેવામાં આવશે. જો કે જાણકારોનું માનવું છે કે નરેન્દ્ર મોદી ઇચ્છતા નથી કે તેમના આંતરિક નિર્ણયોમાં કોઇપણ વરિષ્ઠ નેતા હસ્તક્ષેપ કરે.

સંસદીય બોર્ડમાંથી બહારનો રસ્તો
ભાજપના સંસદીય બોર્ડનું પુર્નગઠન કરવામાં આવ્યું છે અને તેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપના અધ્યક્ષ અમિત શાહને સંસદીય બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ છે સંસદીય બોર્ડમાં સામેલ
આ સંસદીય બોર્ડમાં અમિત શાહ (અધ્યક્ષ), નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અનંત કુમાર, નિતિન ગડકરી, અરૂણ જેટલી, વેંકૈયા નાયડૂ, થાવરચંદ ગેહલોત, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ અને રામલાલને સામેલ કરવામાં આવ્યા છે.

કોણ છે નવા ચહેરા
આ નવી યાદીને જો સંસદીય બોર્ડની જુની યાદી સાથે તુલના કરવામાં આવે તો ત્રણ નામ કાઢવામાં આવ્યા છે તો ત્રણ નવા નામ ઉમેરવામાં આવ્યા છે, બાકી બધા સભ્યોને યથાવત રાખવામાં આવ્યા છે. નવા સંસદીય બોર્ડમાં જે ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ છે.

કેમ મહત્વપૂર્ણ છે અટલ, અડવાણી અને જોશી?
અટલ બિહારી વાજપાઇ, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ભાજપના સંસ્થાપક સભ્ય છે અને આ નેતા પાર્ટીને શિખર લઇ ગયા. આ નેતાઓ વિના ભાજપની કલ્પના ન કરી શકાય.

શું છે સંસદીય બોર્ડ?
ટિકીટ વહેંચણી અને ઉમેદવારોની પસંદગી પર અંતિમ મોહર પણ સંસદીય બોર્ડ લગાવે છે.

શું છે સંસદીય બોર્ડ?
પાર્ટીની રૂપરેખા પણ બોર્ડ તૈયાર કરે છે.

શું છે સંસદીય બોર્ડ?
કોઇપણ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો અધિકાર પણ ફક્ત સંસદીય બોર્ડ પાસે હોય છે. પાર્ટી અધ્યક્ષ જ બોર્ડના અધ્યક્ષ હોય છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
