મોદીના નામ પર અડવાણી અસંમત: નિર્ણય રાજનાથના હાથમાં
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર માટે ભાજપમાંથી નરેન્દ્ર મોદીના નામ સામે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો નનૈયો હજી પણ યથાવત છે. બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે તેમની સાથે મુલાકાત યોજીને તેમને મોદીના નામ અંગે મનાવવાના પ્રયત્નો કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર અડવાણી હજી પણ પોતાની જીદ પર અડગ છે. અડવાણીના મિજાજને જોતા શુક્રવારે મળનારી ભાજપની સંસદીય બોર્ડની બેઠકના આયોજન અંગે પણ શંકા છે. આ બેઠકમાં મોદીનું નામ જાહેર કરવાનું આયોજન છે.

ભાજપ પર નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરવા માટે સંઘનું દબાણ સતત વધી રહ્યું છે. પાર્ટીની ઇચ્છા છે કે નરેન્દ્ર મોદીના નામની દરખાસ્ત અડવાણી રજૂ કરે. અડવાણી પોતાની વાત પરથી ટસથી મસ થતા નથી. તેઓ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના નામની ઘોષણા અંગે સહમત નથી.
અડવાણીની અડોડાઇને કારણે હવે પાર્ટી અધ્યક્ષ તરીકે અંતિમ નિર્ણય રાજનાથ સિંહના હાથમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે જો 13 સપ્ટેમ્બર, 2013ના રોજ ભાજપની સંસદીય બોર્ડની બેઠક યોજાશે તો તેમાં નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરવામાં આવશે અને મોદી ભાજપના ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપશે. ત્યાર બાદ આ પદ સુષ્મા સ્વરાજને આપવામાં આવશે. જો સુષ્માએ આ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો તો તે અરૂણ જેટલી અથવા નીતિન ગડકરીને આપી શકાય એમ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
