For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ માટે આડવાણી જવાબદાર: RJD

|
Google Oneindia Gujarati News

lal krishna advani
નવી દિલ્હી, 25 માર્ચ: ભલે સમાજવાદી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીના ગુણગાન કરવામાં લાગી હોય. પરંતુ રાષ્ટ્રીય જનતા દળ આ બાબત હજમ કરી શકી નથી. રાજદના નેતા રામ કૃપાલ યાદવે તીખા શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે કોઇના દ્વારા સર્ટિફિકેટ મળી જવાથી આડવાણી સેક્યુલર બની નથી જતા.

મુલાયમના 'આડવાણી પ્રેમ' પર તેમણે જણાવ્યું કે હું અને મારી પાર્ટી સમજી નથી શકતી કે આખરે સપા પ્રમુખ આડવાણી અને બીજેપી તરફ વલણ કેમ અપનાવી રહી છે.

રાજદ નેતા આટલે નહી થંભતા તેમણે લાલકૃષ્ણ આડવાણી પર દેશમાં વાતાવરણ બગાડવાનો આરોપ પણ લગાવ્યો. રામકૃષ્ણ યાદવે જણાવ્યું કે બાબરી મસ્જિદ ધ્વંસ ઉપરાંત દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ પેદા કરવા માટે લાલકૃષ્ણ આડવાણી એકલા જવાબદાર છે.

આવનાર લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની ભૂમિકા પર તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં થર્ડ ફ્રંન્ટનું કોઇ અસ્તિત્વ નથી. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક અને વર્ગવાદની પાર્ટી કહેનાર સપા, આજકાલ બીજેપી નેતાઓના વખાણ કરવામાં મસ્ત છે.

English summary
Advani responsible for sectarian in country said RJD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X