Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોવામાં ભાજપની બેઠકઃ આજે પણ નહીં આવે અડવાણી

advani
પણજી, 8 જૂનઃ ગોવા ખાતે આજથી ભાજપની બે દિવસની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક થનારી છે. મળતા અહેવાલો અનુસાર પક્ષ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે પણ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે બેઠકમાં ભાગ લઇ શકશે નહીં, જ્યારે બીજી તરફ આજની બેઠકનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે અને તેઓ 11 વાગ્યે બેઠકને સંબોધન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અડવાણી ભાજપના પદાધિકારીઓની બેઠકમાં સામેલ થવા માટે ગોવા પહોંચ્યા નહોતા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. પરંતુ એવી ચર્ચાઓ જાગી હતી કે, મોદી સાથેના અણબનાવના કારણે અડવાણીએ આ બેઠકમાં હાજરી નહીં આપવા માંદગીનું કારણ આગળ કર્યું છે.

અડવાણીની જેમ અન્ય નેતાઓમાં પાર્ટી ઉપાધ્યક્ષ ઉમા ભારતી, જનરલ સેક્રેટરી વરૂણ ગાંધી, રાજ્યસભામાં બીજેપીના ડેપ્યુટી લીડર રવિ શંકર પ્રસાદ, જસવંત સિંહ, અને શત્રૂઘ્ન સિન્હા પણ આ બેઠકમાં હાજર નહી રહે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકાનો મુદ્દો છવાયેલો રહે તેવી સંભાવના છે. પાર્ટીનો એક વર્ગ તેમને ભાજપ પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાની જોરદાર માંગ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પદાધિકારી કાર્યકારિણીની બેઠક દરમિયાન મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કરવા માટે દબાવ નાખી શકે છે. પરંતુ આ મુદ્દા પર પાર્ટીની અંદર હજી સામાન્ય મંતવ્યનો અભાવ જોવા મળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X