નુકશાન ઓછુ કરવા માટે ભારતીય રેલવે હવે વધારશે યાત્રી ભાડુ
મીડિયા સૂત્રો પ્રમાણે ભારતીય રેલવે કોસ્ટ પ્રાઇઝના આધાર પર યાત્રી ભાડામાં વધારો કરવાનું છે...
ફરીથી એક વાર ભારતીય રેલવે યાત્રીઓના ખિસ્સા ખાલી કરી શકે છે કારણકે આ વખતે રેલવે ફ્લેક્સી રેટ તો નહિ લાગૂ કરે પરંતુ કોસ્ટ પ્રાઇઝના આધાર પર યાત્રી ભાડામાં વધારો કરવાનું છે. તમને જણાવી દઇએ કે તમામ પ્રયત્નો છતાં રેલવે નુકશાનમાં ચાલી રહ્યુ છે માટે પોતાનો ખર્ચ કાઢવા માટે યાત્રીઓ પર બોઝ નાખશે. ભારતીય રેલવે કોસ્ટ પ્રાઇઝના આધારે યાત્રી ભાડામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.
શું થઇ શકે છે?
મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રેલવે લોકલ ટ્રેનનું ભાડુ વધારી શકે છે.
જે યોજના તૈયાર કરવામાં આવી રહી છે તે પ્રમાણે સૌથી વધુ વધારાનો પ્રસ્તાવ ફર્સ્ટ ક્લાસ પ્રેસેંજર માટે છે. જે અનુસાર દાદરનું ભાડુ ફર્સ્ટક્લાસમાં જો આજે 340 રુપિયા હોય તો તે વધીને 500 રુપિયા થઇ જશે.
સેકંડ ક્લાસનું લોકલ ભાડુ પણ 26% વધવાના સંકેત મળી રહ્યા છે.
કોસ્ટ પ્રાઇઝના આધાર પર યાત્રી ભાડામાં વધારો કરવાની યોજના બનાવાઇ રહી છે.
આ યોજના હેઠળ દર મહિને 5-10 રુપિયા યાત્રી ભાડુ વધી શકે છે.