SBI, PNB બાદ આ મોટી બેંકે વધાર્યા વ્યાજદર, લોન થઈ મોંઘી
પબ્લિક સેક્ટરની મોટી બેંક, બેંક ઑફ બરોડા (BOB) એ પોતાના મુખ્ય વ્યાજદર (એમસીએલઆર) વધારી દીધા છે. બેંક ઑફ બરોડાએ મંગળવારે દરેક સમયગાળાની લોન પર એમસીએલઆર અડધો ટકો વધારી દીધુ છે.
પબ્લિક સેક્ટરની મોટી બેંક, બેંક ઑફ બરોડા (BOB) એ પોતાના મુખ્ય વ્યાજદર (એમસીએલઆર) વધારી દીધા છે. બેંક ઑફ બરોડાએ મંગળવારે દરેક સમયગાળાની લોન પર એમસીએલઆર અડધો ટકો વધારી દીધુ છે. બેંકે જણાવ્યુ છે કે એમસીએલઆરમાં પાંચ આધાર અંકોનો વધારો 7 જૂનથી લાગૂ થશે. આ પહેલા એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ અને યુનિયન બેંક પણ પોતાનું એમસીએલઆર વધારી ચૂક્યા છે.

આટલુ થઈ જશે એમસીએલઆર
બેંક ઑફ બરોડાએ દરેક સમયગાળાની લોન પર એમસીએલઆર અડધો ટકો વધારી દીધુ છે. એમસીએલઆરમાં આ વધારા પાછળ બેંકે ફંડ્સ કોસ્ટને કારણભૂત ગણાવી છે. આના વધવાથી આની સાથે જોડાયેલ બધી લોન મોંઘી થઈ જશે. હવે એક વર્ષના સમયગાળાની લોન માટે એમસીએલઆર 8.45 ટકા થઈ જશે. એ જ રીતે એક રાત માટે એમસીએલઆર 7.95 ટકા, એક મહિના માટે 8 ટકા, ત્રણ મહિના માટે 8.1 ટકા અને છ મહિના માટે 8.3 ટકા થઈ જશે.

આ બેંકે પણ વધારી દીધા છે વ્યાજદરો
એમસીએલઆરથી જોડાયેલ લોન મોંઘી થઈ જશે. એમસીએલઆરથી મોટાભાગે ઑટો અને હોમ લોન જોડાયેલી હોય છે. આ પહેલા એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ અને યુનિયન બેંકે પણ એમસીએલઆર 0.1 ટકા સુધી વધારી દીધુ છે.

તો શું બંધ થઈ જશે બેંક ઑફ બરોડા?
આ પહેલા સમાચાર આવ્યા હતા કે બેંક ઑફ બરોડા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક અને ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સને ભેગી કરીને એક મોટી સરકારી બેંક બનાવવાના પ્લાન પર કામ કરી રહી છે. આ બેંકોને ભેગી કરીને તૈયાર થનાર નવી બેંક પાસે કુલ સંપત્તિ 16.58 લાખ કરોડ રૂપિયા હશે. જો આવુ થયુ તો 4 બેંકોને ભેગી કરીને તૈયાર થનાર બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
