'સનાતન ધર્મ પર આવુ નિવેદન સ્વિકાર્ય નહી' સ્ટાલિનના નિવેદન બાદ દીગ્ગજ કોંગ્રેસ નેતાએ જતાવ્યો વિરોધ
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનના 'સનાતન ધર્મ'ના નિવેદન સામે કોંગ્રેસે પણ વિરોધ શરૂ કર્યો છે. સોમવારે, કોંગ્રેસના દિગ્ગજ ડો. કરણ સિંહે સખત આપત્તી જતાવીછે અને કહ્યું કે તે "અત્યંત દુર્ભાગ્યપૂર્ણ" અને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.
તમને જણાવી દઈએ કે DMK યુવા વિંગના સચિવ અને તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને આરોપ લગાવ્યો હતો કે સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે તેને નાબૂદ કરી દેવો જોઈએ.

તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વાયરસ અને મચ્છરોથી થતા તાવ સાથે કરી અને કહ્યું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ કહ્યું કે કેટલીક વસ્તુઓનો વિરોધ કરી શકાતો નથી, પરંતુ તેને નાબૂદ થવો જોઈએ. સનાતનમ શું છે? આ નામ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે અને બીજું કંઈ નથી.
સનાતનનો અર્થ શું છે? તે શાશ્વત છે અર્થાત્ તેને બદલી શકાતો નથી. કોઈ કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં અને તેનો અર્થ તે જ છે. તેમણે આરોપ લગાવ્યો કે સનાતન લોકોને જાતિના આધારે વિભાજિત કરે છે.
Congress leader Dr Karan Singh strongly objects to DMK leader Udhayanidhi Stalin's 'Sanatan Dharma' statement, saying it is "most unfortunate" and "totally unacceptable" pic.twitter.com/VbxZrrmR8k
— ANI (@ANI) September 4, 2023












Click it and Unblock the Notifications
