કૃષિ કાયદાને એક વર્ષ પૂર્ણ, યુવા કોંગ્રેસ પ્રવક્તા તેજસ વાછાણીએ કેન્દ્ર પર સાધ્યુ નિશાન

17 સપ્ટેમ્બરે ના રોજ ત્રણ કૃષિ કાયદાઓ પસાર થયા નુ એક વર્ષ પૂર્ણ થયુ ત્યારે ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રવક્તા તેજસ વાછાણી એ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે પહેલો કાયદો APMC માર્કેટ યાર્ડ ના વેપાર ને બંધ કરી દેશે, બીજ

17 સપ્ટેમ્બરે ના રોજ ત્રણ કૃષિ કાયદાઓ પસાર થયા નુ એક વર્ષ પૂર્ણ થયુ ત્યારે ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રવક્તા તેજસ વાછાણી એ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે પહેલો કાયદો APMC માર્કેટ યાર્ડ ના વેપાર ને બંધ કરી દેશે, બીજો કાયદો ખેડૂતો ને કોર્ટ મા જતા રોકશે અને ત્રીજા કાયદા ના લીધે જમાખોરી અને મોંઘીવારી વધશે એટલે કે પહેલા થી વ્યાજબી ભાવ નહી, બીજા થી ન્યાય નહી અને ત્રીજા થી કાળાબજારી ને બળ મળશે તેજસ વાછાણી એ અમારા સંવાદદાતા ને વધુ મા જણાવ્યુ કે ત્રણ કૃષિ વિરોધી કાળા કાયદાઓ થી દેશ નો ખેડૂત, તેમની આજીવિકા અને કૃષિ વેપાર પર આ કાયદાઓ ની નકારાત્મક અસર પર કહ્યુ. ખાસ કરીને બીજા કૃષિ કાયદા

Farmers Protest

The Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Act, 2020 ગુજરાતી મા કહીએ તો ભાવ ખાતરી અને ખેતી સેવા અધિનિયમ, 2020 પર ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કરાર મુજબ ખેડૂત અને વેપારી ના વચ્ચે વિવાદ ના સમયે ખેડૂત ને ન્યાયાલય મા જવા પર પ્રતિબંધ કરે છે. એટલે કે ખેડૂત અને વેપારીના વચ્ચે ના વિવાદ ના સમયે બંનેએ સૌપ્રથમ SDM પાસે જાવુ પડશે અને SDM ની દેખરેખ મા વિવાદ ને ઉકેલવા માટે એક બોર્ડ નુ નિર્માણ કરવા મા આવશે એ બોર્ડ ના અધ્યક્ષ SDM ની નીચે અથવા દેખરેખ મા કામ કરશે. જો બોર્ડ ના ચુકાદા થઈ વિવાદ નો અંત ના આવે તો બંન્ન પક્ષ ફરીથી SDM પાસે જવુ પડશે અને SDM થઈ પણ વિવાદ નો અંત નથી આવતો તો બંન્ને પક્ષ કલેકટર પાસે જાસે પણ ત્યા થી આગળ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. કાયદા મા કહ્યુ છે કે SDM નો ચુકાદો સિવીલ કોર્ટ ના ન્યાયાધીશ સમાન હશે. અને કોઇ પણ સિવિલ કોર્ટ SDM અને કલેકટર ના ચુકાદા નો સ્વત્હ સંજ્ઞા નહી લઈ શકે. આ કેવો કાયદો છે જે ખેડૂત ને સિવિલ કોર્ટ મા જતા રોકે છે કૃષિ મંત્રી જી કહે છે કે SDM ખેડૂત ની સૌથી નજીક હોય છે એટલે આ અધિકારી આપવામા આવ્યો છે તો આમ જોવા જઈએ તો તલાટી મંત્રી અને સરપંચ પણ હોય છે તો શુ તેમને પણ આવા અધિકારી આપી શકાય ? આ કાઇ તાર્કિક વાત કહેવાય નઇ અત્યારે તો આંદોલન ચાલુ છે અને એક કરનાલ ના SDM એવુ કહેલ કે ખેડૂત ના માથા ફોડી નાખો આવા મા સરકાર ખેડૂત ને કેવી રીતે SDM પાસે ન્યાય પ્રાપ્તિ માટે મોકલી શકે ? જે SDM ના હાથ મા કાયદા વ્યવસ્થા ની જવાબદારી હોય છે એવા મે તેમના હાથ મા ન્યાયિક જવાબદારીઓ કેવી રીતે આપી શકાય ? સંવિધાન ના 50 મા અનુચ્છેદ મા એટલે તો કાર્યપાલીકા અને ન્યાયપાલીકા ની શક્તિઓ અલગ અલગ રાખવા મા આવેલ છે.

તેજસ વાછાણીએ કહ્યું કે ભાજપ સંવિધાન ની સાથે છેડછાડ કરીને દેશ ની કૃષિ વ્યવસ્થા ને પોતાના અંતર્ગત કરીને પોતાના મૂડીવાદ સાથી મિત્રો ને પોષણ આપવા માંગે છે અને દેશ મા એકાધિકાર લાગુ કરવા માગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X