J&K: ચૂંટણી પહેલા 250 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં
J&K: ચૂંટણી પહેલા 250 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં થનાર નગરપાલિકાની ચૂંટણીઓમાં અડચણ પેદા કરવા માટે સીમા પારથી આતંકવાદીઓનું મોટું ગ્રુપ ઘૂસણખોરી કરવાની તૈયારમાં લાગ્યું છે. ભારતીય આર્મીએ રવિવારે કહ્યું કે સીમાને પેલે પાર કેટલાય લૉન્ચ પેડ પર 250થી વધુ આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈને બેઠા છે. જો કે સેનાએ કહ્યુ્ં કે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોંફ્રેન્સના ત્રણ લોકોની ગોળી ધરબી દીધી હતી, જેમાંથી બે મૃત્યુ પામ્યા હતા.

સેના હાઈ અલર્ટ પર
લેફ્ટિનેન્ટ જનરલ એકે ભટ્ટે કહ્યું કે લાઈન ઑફ કંટ્રોલને પેલે પાર 250થી વધુ આતંકવાદીઓ ઘુસણખોરીની કોશિશ કરી રહ્યા છે, પરંત અમારા જવાન પણ આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. એમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામાં ઘૂસણખોરીની સંખ્યાં વધી શકે છે, પરંતુ સેનાના જવાબ એમના નાપાક ઈરાદાઓને નાકામ કરવા માટે હાઈ અલર્ટ પર છે.

CRPF અને પોલીસની સાથે સેના સંભાળશે મોર્ચો
બોડી ઈલેક્શનની સુરક્ષાના સવાલ પર જનરલ ભટ્ટે કહ્યું કે સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સાથે સેનાના જવાન પણ કોઓર્ડિનેટ કરી રહ્યા છે. એમણે કહ્યું કે સફળ ચૂંટણી યોજવા માટે સેના દિવસરાત કામ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં 8 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન થશે, જે બાદ બીજા ચરણમાં 10મી ઓક્ટોબરે મત નાખવામાં આવશે. અને 13 તથા 16 ઓક્ટોબરે ત્રીજા અને ચોથા તબક્કાનું મતદાન કરવામાં આવશે. 20 ઓક્ટોબરે મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે નેશનલ કોંફ્રેન્સ અને પીડીપી જેવી રાજ્યની મોટી પાર્ટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ઘાટીમાં 300 આતંકવાદીઓ સક્રિય
જનરલ ભટ્ટે કહ્યું કે આ સમયે 300 આતંકવાદીઓ ઘાટીમાં સક્રિય છે જેમાંથી કેટલાયનું નવું રિક્રુટમેન્ટ થયું છે. હાલમાં જ ઘાટીના કેટલાય યુવાઓ તેજીથી આતંકવાદી સંગઠનોમાં સામેલ થઈ રહ્યા છે. જનરલ ભટ્ટે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના લોકોએ ઉત્તરી કાશ્મીરમાંથી કંઈક શીખવું જોઈએ, અને કોઈપણ આતંકવાદીને શરણ ન આપવા જોઈએ. ભટ્ટે આગળ કહ્યું કે 1947થી જ ઉત્તરી કાશ્મીરના લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે. આ વિસ્તારના છોકરાઓની ભરતી કરવા માટે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
