બુલેટ ટ્રેનથી અમદાવાદ-મુંબઇની ટિકિટ 75 હજાર રૂપિયા: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલના આ નિવેદનનો વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ ગયો છે. ત્યારબાદથી પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થઇ ગયો છે. વીડિયોમાં જોઇએ તો અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમદાવાદથી મુંબઇ જવા માટે જો કોઇ વ્યક્તિ હવાઇ મથકની ટિકિટ ખરીદે છે તો તેને 4 હજાર રૂપિયા આપવાના થાય છે અને માત્ર 2 કલાકમાં મુસાફરી પુરી કરી લે છે.
ઉલ્લેખનીય છે કે 8 જુલાઇના રોજ મોદી સરકારનું પહેલું રેલવે બજેટ રજુ કરતા રેલ મંત્રી સદાનંદ ગૌડાએ બુલેટ ટ્રેન ચલાવવાની દેશવાસીઓની ઇચ્છાને પૂરી કરવાનું વચન આપ્યું હતું, અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મુંબઇ-અમદાવાદ માર્ગ પર પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક ભારતીયની એ ઇચ્છા અને સપનું છે કે ભારતમાં પણ બુલેટ ટ્રેન દોડે. આ ઉપરાંત જે નવ ક્ષેત્રોમાં સેમી હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, તે દિલ્હી-આગરા, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-કાનપુર, નાગપુર-બિલાસપુર, મૈસૂર-બેંગલૂર-ચેન્નઇ, મુંબઇ-ગોવા, મુંબઇ-અમદાવાદ, ચેન્નઇ-હૈદરાબાદ અને નાગપુર-સિકંદરાબાદ.
જુવો અરવિંદ કેજરીવાલનું ગજબનું ગણિત અને ચોંકવાનારું નિવેદન વીડિયોમાં...
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/pnhir9m_IKU" frameborder="0" allowfullscreen></iframe></center>
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
