બુલેટ ટ્રેનથી અમદાવાદ-મુંબઇની ટિકિટ 75 હજાર રૂપિયા: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલના આ નિવેદનનો વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ ગયો છે. ત્યારબાદથી પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થઇ ગયો છે. વીડિયોમાં જોઇએ તો અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમદાવાદથી મુંબઇ જવા માટે જો કોઇ વ્યક્તિ હવાઇ મથકની ટિકિટ ખરીદે છે તો તેને 4 હજાર રૂપિયા આપવાના થાય છે અને માત્ર 2 કલાકમાં મુસાફરી પુરી કરી લે છે.
ઉલ્લેખનીય છે કે 8 જુલાઇના રોજ મોદી સરકારનું પહેલું રેલવે બજેટ રજુ કરતા રેલ મંત્રી સદાનંદ ગૌડાએ બુલેટ ટ્રેન ચલાવવાની દેશવાસીઓની ઇચ્છાને પૂરી કરવાનું વચન આપ્યું હતું, અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મુંબઇ-અમદાવાદ માર્ગ પર પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક ભારતીયની એ ઇચ્છા અને સપનું છે કે ભારતમાં પણ બુલેટ ટ્રેન દોડે. આ ઉપરાંત જે નવ ક્ષેત્રોમાં સેમી હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, તે દિલ્હી-આગરા, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-કાનપુર, નાગપુર-બિલાસપુર, મૈસૂર-બેંગલૂર-ચેન્નઇ, મુંબઇ-ગોવા, મુંબઇ-અમદાવાદ, ચેન્નઇ-હૈદરાબાદ અને નાગપુર-સિકંદરાબાદ.
જુવો અરવિંદ કેજરીવાલનું ગજબનું ગણિત અને ચોંકવાનારું નિવેદન વીડિયોમાં...
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/pnhir9m_IKU" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
