7 દિવસ Air India ની ફ્લાઈટ બંધ રહેશે, જાણો કેમ?
ભારતીય વાયુસેના દ્વારા પ્રજાસત્તાક દિનને લઈને તૈયારીઓ કરવામાં આવશે. આ સ્થિતિમાં એરલાઇન 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી અને પ્રજાસત્તાક દિવસે સવારે 10:30 થી 12:45 વાગ્યા સુધી દિલ્હી જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરશે.
નવી દિલ્હી : ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓને લઈને કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટના સંચાલનને 7 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ આ જાણકારી એક નિવેદન જારી કરીને આપી છે. એક ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા પ્રજાસત્તાક દિનને લઈને તૈયારીઓ કરવામાં આવશે. આ સ્થિતિમાં એરલાઇન 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી અને પ્રજાસત્તાક દિવસે સવારે 10:30 થી 12:45 વાગ્યા સુધી દિલ્હી જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરશે.

જો કે આ સમય પહેલા કે પછી ચાલતી ફ્લાઈટ્સ પર કોઈ અસર નહીં પડે. એરલાઇન દ્વારા આ નિર્ણય દિલ્હી એરપોર્ટ દ્વારા જારી કરાયેલ નોટિસ ટુ એરમેન અનુસાર છે. આ સ્થિતિમાં 74માં પ્રજાસત્તાક દિવસ સુધી એક અઠવાડિયા સુધી દરરોજ લગભગ ત્રણ કલાક માટે એરસ્પેસ પ્રતિબંધિત કરવામાં આવશે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે એર ઇન્ડિયા એક કલાક મોડી અથવા એક કલાક વહેલા શેડ્યૂલ કરશે. એર ઈન્ડિયાએ એ પણ કહ્યું છે કે, મુસાફરોએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરાશે નહીં. આ સ્થિતિમાં મુસાફરી કરતા પહેલા મુસાફરોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને વિગતો તપાસવી. જેથી તેમને કોઈ સમસ્યા ન થાય.
અહીં તમને જણાવી દઈએ કે ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડમાં સેનાની ત્રણેય પાંખ તેની વિરતાનું પ્રદર્શન કરે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
