આજે અધિકૃત રીતે ભારત સરકાર એર ઈન્ડિયાને ટાટા ગ્રુપ સોંપી શકે છે
ભારત સરકાર આજે અધિકૃત રીતે એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને સોંપી શકે છે.
નવી દિલ્લીઃ ભારત સરકાર આજે અધિકૃત રીતે એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને સોંપી શકે છે. લગભગ 69 વર્ષ બાદ ટાટા ગ્રુપમાં એર ઈન્ડિયાની એક વાર ફરીથી વાપસી થવા જઈ રહી છે. હરાજીની પ્રક્રિયામાં ગયા વર્ષે 8 ઓક્ટોબરે એર ઈન્ડિયાએ સર્વાધિક બોલી લગાવીને ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ પોતાના નામે કર્યુ છે. ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ ટાટ ગ્રુપની જ કંપની છે જેમાં ટાટા ગ્રુપની 18000 કરોડ હોલ્ડિંગ છે. આ દરમિયાન બે એરલાઈન પાયલટ યુનિયન ઈન્ડિયન પાયલટ્સ ગિલ્ડ અને ઈન્ડિયન કૉમર્શિયલ પાયલટ્સ એસોસિએશને સોમવારે એર ઈન્ડિયાના સીએમડી વિક્રમ દેવદત્તને ચેતવણી આપી છે કે તે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે કારણકે પાયલટ્સની બાકી રકમને લઈને ઘણી કાપ અને રિકવરીની યોજના બનાવવામાં આવી રહી છે.
એર ઈન્ડિયાના ફાઈનાન્સ ડિરેક્ટર વિનોદ હેજમાદીએ કર્મચારીઓને ઈમેલમાં જણાવ્યુ હતુ કે, 'એર ઈન્ડિયાનુ ડિસઈન્વેસ્ટમેન્ટ હવે 27 જાન્યુઆરી, 2022ના રોજ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. 20મી જાન્યુઆરીના રોજની બંધ બેલેન્સ શીટ આજે 24મી જાન્યુઆરીએ પ્રદાન કરવી પડશે જેથી કરીને ટાટા દ્વારા તેની સમીક્ષા કરી શકાય અને કોઈ પણ ફેરફારોને બુધવારે અસર કરી શકાય.' ડીલ મુજબ સરકાર એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ એર ઈન્ડિયા SATSમાં 50 ટકા હિસ્સો પણ ટાટા જૂથને સોંપશે. હાલમાં ટાટા પાસે બે એરલાઈન કંપનીઓ છે. એર ઈન્ડિયા ત્રીજી બ્રાન્ડ હશે. આ સમૂહ એર એશિયા ઈન્ડિયા અને વિસ્તારામાં બહુમતી હિસ્સો ધરાવે છે.