Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અજીત પવારને બીજેપીમાં એન્ટ્રીની સંભાવના નહીવત, જાણો કેમ?

મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક વખત ઉથલ પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત અટકળો લાગી રહી છે કે એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર બીજેપી જોઈન કરી શકે છે. જો કે હવે આ અટકળોમાં નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે.

હાલમં જ એનસીપી નેતા અજિત પવાર ભાજપમાં જોડાવવાની અટકળોને ખુદ પવારે નકારી કાઢી હતી. હવે શિવસેનાના એકનાથ શિંદે જૂથના નેતા સંજય શિરસાટે ચેતવણી આપી દીધી છે.

Ajit Pawar

અજીત પવાર અને તેની સાથે મોટી સંખ્યામાં એનસીપી નેતાઓ બીજેપીમાં જોડાવાના હોવાની અટકળો લાગી રહી છે ત્યારે શિંદેની શિવસેનાએ બીજેપીને ચેતવણી આપી છે.

શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે શરદ પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બીજેપી સાથે સીધી રીતે નહીં જાય. જો આમ થશે તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળનું જૂથ સરકારનો ભાગ નહીં રહે.

મીડિયા સાથે વાત કરતા સંજય શિરસાટેએ કહ્યું કે, આ અંગે અમારી નીતિ સ્પષ્ટ છે. NCP વિશ્વાસઘાતની પાર્ટી છે. અમે સત્તામાં હોવા છતાં પણ NCP સાથે નહીં જઈએ. જો બીજેપી NCPને સાથે લાવશે તો મહારાષ્ટ્રને તે નહીં ગમે.

અજિત પવારના નિવેદન પર તેમણે કહ્યું કે, પવારે કંઈ કહ્યું નથી, જેનો અર્થ છે કે તે એનસીપીમાં રહેવા માંગતા નથી. અમે કોંગ્રેસ-એનસીપી છોડી દીધી, કારણ કે અમે તેમની સાથે રહેવા માંગતા ન હતા.

સંજય શિરસાટે કહ્યું કે, અજિત પવારને ત્યાં ફ્રી હેન્ડ નથી. જો તે એનસીપી છોડીને શિવસેના-ભાજપની વિચારધારાને સ્વીકારે તો તેમનું સ્વાગત છે. જો તે NCP નેતાઓના જૂથ સાથે આવશે તો અમે સરકારમાં નહીં રહીએ. શિરસાટેની હાલમાં જ એકનાથ શિંદેની શિવસેનાના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X