અજમેરના દીવાનને ભારત રત્ન આપવામાં આવેઃ ઉદ્ધવ

ખાનના સાહસ પૂર્ણ, બેજોડ અને માનવીય પગલાંની પ્રશંસા કરતા ઉદ્ધવે કહ્યું કે દીવાનને એ અનુભવ્યુ હશે કે પાકિસ્તાની પ્રધાનમંત્રી માટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવું, એ ભારતીય જવાનોની સ્મૃતિઓનું અપમાન કરવા સમાન હશે, જેમની પાકિસ્તાની સેનાએ તાજેતરમાં નૃશંસ હત્યા કરી દીધી હતી.
ઉદ્ધવે કહ્યું કે તેનાતી વિપરીત, ભારતના વિદેશમંત્રીએ અશરફનું ભવ્ય સ્વાગત કરવામાં કોઇ કસર છોડી નહીં અને તેમના માટે શાહી દાવતનું પણ આયોજન કરવામાં આવ્યું. અશરફ જતાં રહ્યાં બાદ અજમેરમાં એ રસ્તાઓની સફાઇ કરવામાં આવી, જ્યાંથી તે પસાર થયા હતા. મુસલમાન સ્વેચ્છાએ આ સફાઇ અભિયાનમાં સામેલ થયા હતા.
દીવાનનું આ પગલું કટ્ટર મુસલમાનો સહિત સરકારની આંખો ખોલનારું તથા નવા ચલણની શરૂઆત કરનારું છે. ઉદ્ધવે વ્યંગ્યાત્મક રીતે કહ્યું કે, જે રીતે પાકિસ્તાન તેમના વખાણ કરનારા ભારતીયોને પોતાનું સર્વોચ્ચ સમ્માન 'નિશાન એ પાકિસ્તાન'થી નવાજે છે, તેવી જ રીતે ભારત પણ તેનો જવાબ આપી શકે છે.
તેમણે કહ્યું કે, ત્યારે, દીવાનને આ ચલણનો વિરોધ કરવા અને પાકિસ્તાની નેતા વિરુદ્ધ કડક વલણ અપનાવવા માટે શા માટે ભારત રત્ન આપવામાં ના આવે? આ દેશના સામાન્ય મુસલમાનો માટે પ્રેરણા અને તેમનામા સાહસ ભરવાનું કામ કરી શકે છે.
નોંધનીય છે કે દીવાનમાં અજમેરના સૂફી દરગાહમાં અશરફના વ્યક્તિગત પ્રવાસનો બહિષ્કાર કર્યો હતો અને દરગાહના મોલવીઓએ તેમનું દાન સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. અશરફ, તેમના પત્ની નુસરત અને તેમની સાથે 20 અન્ય લોકોએ ત્યાં જિયારત કરી હતી.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
