અજમેરના દીવાનને ભારત રત્ન આપવામાં આવેઃ ઉદ્ધવ
ખાનના સાહસ પૂર્ણ, બેજોડ અને માનવીય પગલાંની પ્રશંસા કરતા ઉદ્ધવે કહ્યું કે દીવાનને એ અનુભવ્યુ હશે કે પાકિસ્તાની પ્રધાનમંત્રી માટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવું, એ ભારતીય જવાનોની સ્મૃતિઓનું અપમાન કરવા સમાન હશે, જેમની પાકિસ્તાની સેનાએ તાજેતરમાં નૃશંસ હત્યા કરી દીધી હતી.
ઉદ્ધવે કહ્યું કે તેનાતી વિપરીત, ભારતના વિદેશમંત્રીએ અશરફનું ભવ્ય સ્વાગત કરવામાં કોઇ કસર છોડી નહીં અને તેમના માટે શાહી દાવતનું પણ આયોજન કરવામાં આવ્યું. અશરફ જતાં રહ્યાં બાદ અજમેરમાં એ રસ્તાઓની સફાઇ કરવામાં આવી, જ્યાંથી તે પસાર થયા હતા. મુસલમાન સ્વેચ્છાએ આ સફાઇ અભિયાનમાં સામેલ થયા હતા.
દીવાનનું આ પગલું કટ્ટર મુસલમાનો સહિત સરકારની આંખો ખોલનારું તથા નવા ચલણની શરૂઆત કરનારું છે. ઉદ્ધવે વ્યંગ્યાત્મક રીતે કહ્યું કે, જે રીતે પાકિસ્તાન તેમના વખાણ કરનારા ભારતીયોને પોતાનું સર્વોચ્ચ સમ્માન 'નિશાન એ પાકિસ્તાન'થી નવાજે છે, તેવી જ રીતે ભારત પણ તેનો જવાબ આપી શકે છે.
તેમણે કહ્યું કે, ત્યારે, દીવાનને આ ચલણનો વિરોધ કરવા અને પાકિસ્તાની નેતા વિરુદ્ધ કડક વલણ અપનાવવા માટે શા માટે ભારત રત્ન આપવામાં ના આવે? આ દેશના સામાન્ય મુસલમાનો માટે પ્રેરણા અને તેમનામા સાહસ ભરવાનું કામ કરી શકે છે.
નોંધનીય છે કે દીવાનમાં અજમેરના સૂફી દરગાહમાં અશરફના વ્યક્તિગત પ્રવાસનો બહિષ્કાર કર્યો હતો અને દરગાહના મોલવીઓએ તેમનું દાન સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. અશરફ, તેમના પત્ની નુસરત અને તેમની સાથે 20 અન્ય લોકોએ ત્યાં જિયારત કરી હતી.