દિલ્હીમાં અકાળીઓને સમજાઇ સ્વર્ગની હકિકત
નવી દિલ્હી, (વિવેક શુક્લા): જો કે હરિયાણામાં અકાળી દળે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સાથ આપ્યો નહી, પરંતુ દિલ્હીમાં તેની ઇચ્છા છે કે તે ભાજપની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી લડે અને જીતે. જો કે આ વિચારસણી પાછળ એક કારણ એ પણ છે કે દિલ્હી અકાળી દળને ખબર છે કે ભાજપથી અલગ થઇને તેના માટે અહીં એક સીટ પણ જીતવી મુશ્કેલ હશે.
ગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 70 સભ્યોવાળી વિધાનસભામાં અકાળી દળને ચાર સીટો આપી હતી જેમાંથી પાર્ટી રાજૌરી ગાર્ડન અને હરિનગર પોતાના ચૂંટણી ચિહ્ન તથા તથા કાલકાજી તથા શાહદરામાં ભાજપના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી હતી. રાજૌરી ગાર્ડન, કાલકાજી તથા શાહદરામાં અકાળી દળના ઉમેદવારોને જીત મળી હતી.

સાથે લડવાની ઇચ્છા
અકાળી દળને આશા છે કે ગત વખતે જે પ્રકારે બંને દળ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા તે પ્રકારે આ વખતે પણ લડશે તથા કેન્દ્રની માફક દિલ્હીમાં ભાજપ-અકાળી દળની સરકાર બનશે. અકાળી દળની દિલ્હી એકમને પુરી આશા છે કે બંને દળોનું આ જુનૂં ગઠબંધન આગળ પણ જળવાઇ રહેશે.
ભાજપ-અકાળી ગઠબંધન તૂટવા અંગેના સમાચારો પર અકાળી દળના એક નેતા જિતેન્દ્ર સિંહ શંટીએ કહ્યું કે રાજકારણમાં દરેક વાત સંભવ છે. પરંતુ ભાજપ અને અકાળી દળનું ગઠબંધન ખૂબ જૂનું છે. આજની તારીખમાં એવી કોઇ વાત જોવા મળી રહી નથી.
ખૂબ જૂની મિત્રતા
ચોક્કસપણે આ બંને પક્ષોનો સંબંધ જુનો છે, પરંતુ હાલના સમયે થોડું અંતર વધી ગયું છે. પંજાબમાં ભાજપ અને અકાળી દળની વચ્ચે 1996થી ગઠબંધન છે તથા બંને પક્ષ હજુ ત્યાં સત્તારૂઢ છે. આ ઉપરાંત તે દિલ્હીમાં સાથે ચૂંટણી લડે છે.
આ દરમિયાન, દિલ્હી અકાળી દળના નેતા માને છે કે મોદી લહેરના લીધે ભાજપની કેન્દ્રમાં સરકાર બની, પરંતુ એમપણ કહે છે કે દિલ્હીમાં બંને પક્ષ મળીને ચૂંટણી લડશે. તેમાં બંનેનો ફાયદો છે. જો કે જાણકારો કહે છે કે તેમાં અકાળીઓને નહી ભાજપને ફાયદો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
