દિલ્હીમાં અકાળીઓને સમજાઇ સ્વર્ગની હકિકત
નવી દિલ્હી, (વિવેક શુક્લા): જો કે હરિયાણામાં અકાળી દળે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સાથ આપ્યો નહી, પરંતુ દિલ્હીમાં તેની ઇચ્છા છે કે તે ભાજપની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી લડે અને જીતે. જો કે આ વિચારસણી પાછળ એક કારણ એ પણ છે કે દિલ્હી અકાળી દળને ખબર છે કે ભાજપથી અલગ થઇને તેના માટે અહીં એક સીટ પણ જીતવી મુશ્કેલ હશે.
ગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 70 સભ્યોવાળી વિધાનસભામાં અકાળી દળને ચાર સીટો આપી હતી જેમાંથી પાર્ટી રાજૌરી ગાર્ડન અને હરિનગર પોતાના ચૂંટણી ચિહ્ન તથા તથા કાલકાજી તથા શાહદરામાં ભાજપના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી હતી. રાજૌરી ગાર્ડન, કાલકાજી તથા શાહદરામાં અકાળી દળના ઉમેદવારોને જીત મળી હતી.

સાથે લડવાની ઇચ્છા
અકાળી દળને આશા છે કે ગત વખતે જે પ્રકારે બંને દળ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા તે પ્રકારે આ વખતે પણ લડશે તથા કેન્દ્રની માફક દિલ્હીમાં ભાજપ-અકાળી દળની સરકાર બનશે. અકાળી દળની દિલ્હી એકમને પુરી આશા છે કે બંને દળોનું આ જુનૂં ગઠબંધન આગળ પણ જળવાઇ રહેશે.
ભાજપ-અકાળી ગઠબંધન તૂટવા અંગેના સમાચારો પર અકાળી દળના એક નેતા જિતેન્દ્ર સિંહ શંટીએ કહ્યું કે રાજકારણમાં દરેક વાત સંભવ છે. પરંતુ ભાજપ અને અકાળી દળનું ગઠબંધન ખૂબ જૂનું છે. આજની તારીખમાં એવી કોઇ વાત જોવા મળી રહી નથી.
ખૂબ જૂની મિત્રતા
ચોક્કસપણે આ બંને પક્ષોનો સંબંધ જુનો છે, પરંતુ હાલના સમયે થોડું અંતર વધી ગયું છે. પંજાબમાં ભાજપ અને અકાળી દળની વચ્ચે 1996થી ગઠબંધન છે તથા બંને પક્ષ હજુ ત્યાં સત્તારૂઢ છે. આ ઉપરાંત તે દિલ્હીમાં સાથે ચૂંટણી લડે છે.
આ દરમિયાન, દિલ્હી અકાળી દળના નેતા માને છે કે મોદી લહેરના લીધે ભાજપની કેન્દ્રમાં સરકાર બની, પરંતુ એમપણ કહે છે કે દિલ્હીમાં બંને પક્ષ મળીને ચૂંટણી લડશે. તેમાં બંનેનો ફાયદો છે. જો કે જાણકારો કહે છે કે તેમાં અકાળીઓને નહી ભાજપને ફાયદો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
